દુર્ઘટના / વિશાખાપટ્ટનમમાં ઝેરી ગેસ લીકેજ બંધ, 2 બાળકો સહિત 8ના મોત જ્યારે હજારથી વધુ બીમાર

chemical gas leakage reported at lg polymers industry in rr venkatapuram village visakhapatnam andhra pradesh

આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં એલજી પોલિમર ઉદ્યોગમાં કેમિકલ ગેસ લીક ​​થયો હતો. આ અકસ્માતમાં એક બાળક સહિત 7 લોકોનાં મોત નીપજ્યાં છે. જ્યારે ઘણાની હાલત નાજુક હોવાનું જાણવા મળ્યું છે. ગુરુવારે સવારે આર.આર.વેંકટપુરમ ગામમાં બનેલી આ ઘટના બાદ અંધાધૂંધી ફેલાઈ છે. સ્થાનિક વહીવટી તંત્ર અને નૌકાદળ દ્વારા કંપની નજીકના પાંચ ગામોને ખાલી કરાવવામાં આવ્યા છે. જો કે બાદમાં ગેસ લીકેજ પર કાબુ મેળવવામાં આવ્યો હતો. આ ઘટનામાં 3 હજાર લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે. જ્યારે 8 લોકોના મોત નિપજ્યા છે અને એક હજારથી વધુ લોકો બીમાર થયા છે.

બ્રેકિંગ ન્યૂઝ