આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં એલજી પોલિમર ઉદ્યોગમાં કેમિકલ ગેસ લીક થયો હતો. આ અકસ્માતમાં એક બાળક સહિત 7 લોકોનાં મોત નીપજ્યાં છે. જ્યારે ઘણાની હાલત નાજુક હોવાનું જાણવા મળ્યું છે. ગુરુવારે સવારે આર.આર.વેંકટપુરમ ગામમાં બનેલી આ ઘટના બાદ અંધાધૂંધી ફેલાઈ છે. સ્થાનિક વહીવટી તંત્ર અને નૌકાદળ દ્વારા કંપની નજીકના પાંચ ગામોને ખાલી કરાવવામાં આવ્યા છે. જો કે બાદમાં ગેસ લીકેજ પર કાબુ મેળવવામાં આવ્યો હતો. આ ઘટનામાં 3 હજાર લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે. જ્યારે 8 લોકોના મોત નિપજ્યા છે અને એક હજારથી વધુ લોકો બીમાર થયા છે.
ગત રાતે 2.30 વાગે લીક થયેલા આ ગેસ પર સવારે 10 વાગે કાબૂ મેળવવામા આવ્યો હતો. તેમજ આસપાસના 3 હજાર લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે. જ્યારે એક હજારથી વધુ લોકો બીમાર પડ્યા હોવાના સમાચાર મળ્યાં છે. સીએમ જગન મોહન રેડ્ડી પણ વિશાખાપટ્ટનમ માટે રવાના થાય છે. આ ઘટનામાં 2 બાળકો સહિત 8 લોકોના મોત થયા છે અને 20ની હાલત ગંભીર છે.
ઉલ્લેખનીય છે કે વિશાખાપટ્ટનમ ગેસ લીક મામલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી જગનમોહન રેડ્ડી સાથે વાત કરી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દૂર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે.
Spoke to officials of MHA(Ministry of Home Affairs) and NDMA (National Disaster Management Authority) regarding situation in Visakhapatnam, which is being monitored closely. I pray for everyone’s safety and well-being in Visakhapatnam: Prime Minister Narendra Modi. #VizagGasLeakpic.twitter.com/kQkjCDA8ve
જિલ્લા મેડિકલ અને આરોગ્ય અધિકારી (ડીએમએચઓ) એ શરુઆતમાં જણાવ્યું હતું કે કંપનીમાં ગેસ લિક થવાને કારણે એક બાળક સહિત ત્રણ લોકોનાં મોત નીપજ્યાં છે. જેનો આંક સતત વધી રહ્યો છે. આંખમાં બળતરા અને શ્વાસની તકલીફની ફરિયાદ બાદ લોકોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યાં છે. પોલીસ, ફાયર બ્રિગેડ, એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી ગઈ છે.
#UPDATE 3 persons, including one child, dead after chemical gas leakage at LG Polymers industry in RR Venkatapuram village, Visakhapatnam: District Medical & Health Officer (DMHO). #AndhraPradeshhttps://t.co/sEx1YdgeOZ
આરઆર વેંકટપુરમ સ્થિત એલ.જી પોલિમર કંપનીમાંથી ખતરનાક ઝેરી ગેસ લિક થયો હતો. આને કારણે કંપનીની આજુબાજુ ત્રણ કિલોમીટર સુધીનો વિસ્તારો તેની અસરની ઝપેટમાં આવી ગયો છે.
ગેસ લિકેજ થવાનાં કારણો હજી જાણી શકાયા નથી. આ પ્રસંગે વિશાખાપટ્ટનમ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ વી વિનયચંદ પણ ઘટના સ્થળે દોડી ગયા છે. તેમણે કહ્યું કે કેટલાક લોકોને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી છે, તેમને ઓક્સિજન આપવામાં આવી રહ્યો છે.
8 લોકોના મોત થયા છે 20ની હાલત ગંભીર છે
ગેસ લિકેજ બાદ 170 થી વધુ લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, 20 લોકોની હાલત ખૂબ નાજુક હોવાનું જણાઈ રહ્યું છે તેમાંના મોટાભાગના બાળકો અને વૃદ્ધ લોકો છે. જેમની સ્થિતિ સતત કથળી રહી છે. અહીં લોકોને સરકારી હોસ્પિટલો તેમજ ખાનગી હોસ્પિટલોમાં લઈ જવામાં આવી રહ્યા છે. આ સિવાય કંપનીની આસપાસની તમામ હોસ્પિટલોને એલર્ટ પર રાખવામાં આવી છે. સ્થાનિક વહીવટના જણાવ્યા પ્રમાણે લોકોને એમ્બ્યુલન્સમાં સતત લવાઈ રહ્યા છે, શરૂઆતમાં લગભગ 2000 બેડ તૈયાર કરાયા છે જેથી કોઈ પણ પરિસ્થિતિનો સામનો કરી શકાય.