અમિતાભ બચ્ચન અને ઈમરાન હાશમીની ફિલ્મ ચહેરેમાં રિયા ચક્રવર્તી છે કે નહીં એ અટકળો પણ લાગ્યું પૂર્ણ વિરામ. જાણો શું છે હકીકત.
ફિલ્મ ચહેરેનું ટ્રેલર થયું રિલીઝ
એવી ચર્ચા હતી કે મેકર્સે એક્ટ્રેસ રિયા ચક્રવર્તીને ફિલ્મમાંથી બહાર કરી દીધી છે
હવે ટ્રેલર રિલીઝ થતાં સ્પષ્ટ થઈ ગયું છે કે રિયા ફિલ્મનો ભાગ છે
અમિતાભ બચ્ચન અને ઈમરાન હાશમીની ફિલ્મ ચહેરેનું ટ્રેલર રિલીઝ થતાં જ સૌથી મોટા સસ્પેન્સ પરથી પડદો ઉઠી ગયો છે. ફિલ્મના પોસ્ટર જોયા બાદ એવી અટકળો થવા લાગી હતી કે મેકર્સે એક્ટ્રેસ રિયા ચક્રવર્તીને ફિલ્મમાંથી બહાર કરી દીધી છે. તેના રોલને ફિલ્મમાંથી દૂર કરી દેવાયો છે. એવામાં હવે ટ્રેલર રિલીઝ થતાં સ્પષ્ટ થઈ ગયું છે કે રિયા ફિલ્મનો ભાગ છે. એ અલગ વાત છે કે, તેને ફિલ્મના ટ્રેલરમાં નેનો સેકન્ડ માટે બતાવવામાં આવી છે.
મેકર્સે શું કહ્યું
હવે પહેલીવાર રિયા અને ચહેરેમાં તેના રોલ વિશે મેકર્સે વાત કરી છે. મેકર્સે આ મુદ્દે મોટું નિવેદન આપ્યું છે. એક ઈન્ટરવ્યૂમાં ચહેરેના નિર્માતા આનંદ પંડિતે જણાવ્યું કે, રિયા આ ફિલ્મનો હિસ્સો નથી તે વિશે કોઇ પ્રશ્રાર્થ જ નહોતો. તે ફિલ્મનો હિસ્સો હતી, છે અને રહેશે. તે મારી ફિલ્મ ચહેરેમાં કામ કરી રહી છે. હું આટલી જલ્દી કોઈની વાતોમાં આવતો નથી.
રિયા પ્રમોશનથી દૂર
મેકર્સે જણાવ્યું કે, ફિલ્મના પ્રમોશનથી રિયાને દૂર રાખવામાં આવી છે પરંતુ ફિલ્મમાં તેનો રોલ હજી પણ છે. હવે રિયા ફિલ્મમાં કયો રોલ પ્લે કરી રહી છે તેના વિશે કોઈ જાણખારી નથી. જોકે, ચોંકાવનારી વાત એ છે કે, અમિતાભથી લઈ ઈમરાન હાશમી ફિલ્મનું પ્રમોશન કરી રહ્યાં છે. પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ફિલ્મનું પોસ્ટર અને ટ્રેલર શેર કરી રહ્યાં છે પરંતુ રિયાએ એવું કંઈપણ કર્યું નથી. પણ રિયા મેકર્સના વ્યવહારથી નારાજ હોવાના સમાચાર પણ સામે આવ્યા છે. પોસ્ટરમાં રિયાને જગ્યા ન મળવા પર તે નારાજ છે.
રિયાનું બોલિવૂડ કરિયર
એક્ટર સુશાંત સિંહ રાજપૂતના અવસાન બાદ રિયાના કરિયરને લઈને ઘણાં સવાલો ઊભા થઈ રહ્યાં છે. તેને કોઈ પ્રોજેક્ટ્સ મળી રહ્યાં નથી અને તે પોતે પણ કોઈ ફિલ્મ સાઈન કરી શકી નથી રહી. સુશાંતની મોત બાદથી તેના કરિયર પર ગ્રહણ લાગી ગયું છે. એક્ટ્રેસે ખુદને આઈસોલેટ કરી દીધી છે. તે મીડિયા લાઈમલાઈટથી દૂર છે.