અમદાવાદ વડોદરા અને સુરતમાં તહેવારોને પગલે વેપારીઓ પર તવાઈ શરૂ થઇ છે. અમદાવાદમાં આરોગ્ય વિભાગે મિઠાઇ અને માવાના વેપારીઓને ત્યાં ચેકિંગ હાથ ધરાર્યુ છે.
અમદાવાદ શહેરના અલગ અલગ વિસ્તારોમાં હેલ્થ વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરાયું છે. અમદાવાદના કુલ 6 ઝોનમાં આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
મિઠાઇ અને માવાના સેમ્પલ લઇને ચેકિંગ હાથ ધર્યુ છે. સેમ્પલને લેબોરેટરીમાં ટેસ્ટિગ માટે મોકલવામાં આવ્યા છે. ટેસ્ટિગના પરિણામ બાદ કાર્યવાહી હાથ ધરાશે.
તમને જણાવી દઇએ કે રક્ષાબંધનના તહેવારને લઇને આરોગ્ય વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. અલગ-અલગ વિસ્તારોની મિઠાઇની દુકાનોમાંથી સેમ્પલ લઇને ચેકિંગ માટે મોકલવામાં આવ્યા છે ટેસ્ટિગના પરિણામ બાદ કાર્યવાહી હાથ ધરાશે.