નવસારી જિલ્લો ઉદ્યોગો કરતા ખેતી આધારિત વધુ રહ્યો છે. અહીં શેરડી ડાંગર કેરી અને ચીકુ સાથે શાકભાજીનાં પાકો વિપુલ પ્રમાણમાં લેવાઈ છે. માટીથી બનાવેલ ચેકડેમો પાણીમાં તણાઈ ગયા છે તો સરકારનાં કરોડો રૂપિયા પાણીમાં ડૂબી ગયાં અને ખેડૂતો સાથે આમ જનતા ઉનાળામાં પાણીની અછતનાં શિકાર બન્યાં છે.
ભ્રષ્ટાચારની ગંધથી ખદબદતા ચેકડેમો તંત્રની પોલ ખોલતી તસ્વીરો બતાવતા હોય એવી પ્રતીતિ કરાવી રહ્યાં છે. સરકારનો ઉમદા હેતુ પર પાણી ફેરવતું તંત્ર નવસારી જિલ્લામાં પાણી આપવામાં નિષ્ફળ નીવડ્યું છે ચેકડેમો છે પણ હલકી ગુણવત્તાને લઈને ટકી શક્યાં નથી કાચા બનવેલા ડેમો તણાઇ ગયા ત્યારે તંત્રની બેફીકરાઈ છતી થઇ એમ કહેવું ખોટું નથી.
નવસારી જિલ્લો ઉદ્યોગો કરતા ખેતી આધારિત વધુ રહ્યો છે અહીં શેરડી ડાંગર કેરી અને ચીકુ સાથે શાકભાજીનાં પાકો વિપુલ પ્રમાણમાં લેવાઈ છે સરકારે ખેડૂતો અને જનતાને પાણી મળી રહે તે માટે ઢગલાબંધ ચેકડેમો બનાવ્યાં છે પરંતુ હલકી ગુણવત્તાને લઈને ચેકડેમો પડી ભાગ્યાં છે જયારે માટીથી બનાવેલ ચેકડેમો પાણીમાં તણાઈ ગયા છે તો સરકારનાં કરોડો રૂપિયા પાણીમાં ડૂબી ગયાં અને ખેડૂતો સાથે આમ જનતા ઉનાળામાં પાણીની અછતના શિકાર બન્યા છે જે તંત્રને આભારી હોય એવું ચિત્ર ઉભું થયું છે ત્યારે પાણીની અછત માનવસર્જિત ભ્રષ્ટાચારને લઈને ઉભી થઇ હોય એવી ચર્ચાઓ જાગી છે.
નવસારી જીલ્લામાં કુલ 1152 જેટલાં ચેકડેમો કરોડોનાં ખર્ચે નવસારી જીલ્લા પંચાયત દ્વારા બનવામાં આવ્યાં છે. જેમાંથી મોટા ભાગનાં ચેકડેમો હાલની પરિસ્થિતિએ ખખડધ્વજ હાલતમાં આવી ગયાં છે. હાલમાં નેર દ્વારા આવતા પાણી અટકાવવા બિલકુલ સક્ષમ નથી ત્યારે વરસાદી પાણી આવે ત્યારે આ ચેકડેમોની હાલત કેવી થતી હશે તે વિચારવા જેવો પ્રશ્ન બની ગયો છે. સમગ્ર ચેક ડેમોમાં ચેક કરવામાં આવતા મોટાભાગનાં ચેકડેમોમાં લગાવવામાં આવતા દરવાજાઓ ગાયબ હતાં તો ચેકડેમો તૂટેલી હાલતમાં જોવા મળ્યાં હતા. જેથી પાણી આવેતો ખરુ પણ વહી જાય સંગ્રહ ન થવાને કારણે છતે પાણી તરસ્યા રહેવાનો વારો આવે તેવી પરિસ્થિતિ સર્જાઈ છે.
ખેડૂતો માટે સરકાર અનેક યોજનાઓ લાવે છે પણ આ યોજનાઓ ખેડૂત સુધી પોહોચે તેમાં વચ્ચે રહેલા સરકારી બાબુઓ પોતાની કટકી કરવા હલકી ગુણવત્તા વાળું કામ કરવી કાગળીયાઓ પર કામગીરી બતાવી ઉપરના અધિકારીઓને સબ કુશલ મંગલનું રટણ કરે છે. અને પછી થોડાંક સમય બાદ એજ કામ તૂટી ગયું તેમ કહી રીપેરીંગનાં બહાને વધુ મલાઈ ખાવાના રસ્તાઓ તૈયાર કરી આયોજન બદ્ધ ખાયકી માટે તખતો તૈયાર કરે છે. અને પોતાના માટે યોગ્ય આયોજન કરે છે ત્યારે ખેડૂતોએ ભોગવવાનો વારો આવે છે.