પંચમહાલ જિલ્લા નદીઓમાં પાણી રોકવા માટે કરોડો રૂપિયાના ચેકડેમ ગત વર્ષે બનવવામાં આવ્યા. જેમાં ચોમાસામાં નવા નીર આવતા ચેકડેમ તૂટી ગયો છે. કાલોલની ગોમાં નદીમાં અલાલી ગામમાં બનાવેલા ચેકડેમમાં થોડો સમય પણ નથી થયો ને ચેક ડેમમાં થયેલો ભ્રષ્ટાચાર દેખાઈ આવ્યો છે. એક નહિ બીજી વખત નવા પાણીના નીર સાથે ચેકડેમ તૂટી ગયો છે ત્યારે સ્થાનિક ખેડૂતો ચિંતામાં આવી ગયા છે.
પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકામાંથી પસાર થતી ગોમાં નદીમાં છેલ્લા કેટલાક સમયથી પાણીનો સંગ્રહ થતો ન થતો હતો. જેમાં ચોમાસા દરમિયાન આવતા પાણીના વહેણ નીકળી જતા પાણીનું ટીપુંય બચતું ન હતું. વર્ષ દરમિયાન આજુબાજુના ગામડામાં પીવાના પાણી અને ખેડૂતને ખેતીના પાણીની ભારે તકલીફ પડતી હતી. જેને લઇને રાજ્ય સરકાર દ્વારા સિંચાઈ વિભાગને સોંપીને કાલોલ તાલુકાના અલાલી ચેકડેમ મંજુર કર્યો હતો. જેને લઇને ત્રણ કરોડના ખર્ચે ચેકડેમ બનવવામાં આવ્યો હતો. જેને લઇને આજુ બાજુના ખેડૂતો આનંદમાં આવી ગયા પરંતુ સ્થાનિક કેટલાક લોકો દ્વારા આ ચેકડેમ હલકી ગુણવત્તાનો બનાવતા હતા. તેની રજુઆત પાનમ સિંચાઈના અધિકારીઓને કરવામાં આવી હતી.
ગોમાં નદીમાં પાણી આવ્યું અને ચેકડેમ ધોવાઇ ગયો
પાનમ સિંચાઈના અધિકારીઓએ ધ્યાને ના લેતા કોન્ટ્રાક્ટર દ્વારા તેનું મનસ્વી રીતે હલકી ગુણવવતાનું મટીરીયલ વાપરીને ચેકડેમ ઉભો કરી દેવામાં આવ્યો છે. આખરે તે ગત ચોમાસાની સીઝન ચાલુ થતા પહેલા પૂર્ણ કરી દેવામાં આવ્યો. ગત વર્ષે ઉપરવાસના વરસાદને કારણે ગોમાં નદીમાં પાણીના નવા નીર આવ્યા. જેમાં અલાલી ગામ પાસે બનાવેલ ચેકડેમ ધોવાઈ ગયો, તેમાં બનાવેલ હલકી ગુણવત્તાનું બાંધકામ ધોવાઈ ગયુ, તેમાં મોટા ગાબડાં પડી ગયા તેજ રીતે આ વર્ષે પણ ચોમાસામાં વરસાદ વરસ્યો અને ચેકડેમનો આગળનો ભાગ ધોવાઈ ગયો. વર્ષમાં બે-બે વાર ચેકડેમ ધોવાના બનાવોને લઇને સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે હલકી ગુણવત્તાનું મટીરીયલ વાપરીને મસમોટો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે.
ત્રણ કરોડના ચેકડેમમાં કેટલો ભ્રષ્ટાચાર?
સિંચાઈ વિભાગ દ્વારા બનવવામાં આવેલા ચેકડેમમાં વ્યાપક પ્રમાણમાં થયેલા ભ્રષ્ટાચારને લઇને સ્થાનિક ખેડૂતો રોષે ભરાયેલા છે. ખેડૂતોને તકલીફ દૂર કરવા માટે બનાવેલા ત્રણ ત્રણ કરોડના ચેકડેમમાં કેટલો મોટો ભ્રષ્ટાચાર થયો હશે. ખેડૂતોના હિતમાં થયેલા ચેકડેમની તપાસ કોણ કરશે તે જોવાનું રહ્યું પાણી રોકવા માટે બનવેલો ચેકડેમ આજે હલકી કક્ષાનું મટીરીયલ વાપરતા બીજા વર્ષે પણ તેનો તૂટવાનો નમૂનો દેખવામાં આવ્યો છે તો શું રાજ્ય સરકાર આના માટે કોને જવાબદાર ઠેરવશે અને કોની સામે તપાસ કરશે.