ઘણી બેંકોના વિલય બાદ તેનાથી સંબંધિત ઘણા નિયમો બદલાઈ ગયા છે, પછી તે ચેકબુકનો મામલો હોય કે આઇએફએસસી કોડ હોય. જો તમારું આ બેંકમાં ખાતું છે તો વાંચો કામના સમાચાર.
આ બેંકના ગ્રાહકો માટે કામના સમાચાર
1 ઓક્ટોબરથી આ બે બેંકની ચેકબુક અમાન્ય થઈ જશે
ફટાફટ કરી લો આ કામ
ઓરિયન્ટલ બેંક ઓફ કોમર્સ (OBC) અને યૂનાઇટેડ બેંક ઓફ ઈન્ડિયાની (UBI) સાથે પણ આવું થયું છે. આ બંને બેંક પંજાબ નેશનલ બેંક (PNB) સાથે મર્જ થઈ ગઈ છે. મુખ્ય રીતે આ બંને બેંકોના ગ્રાહકોને નવી ચેકબુક ઇશ્યૂ કરાવવી પડશે કારણ કે જૂની ચેકબુક હવે માન્ય નહીં રહે. ગ્રાહક 1 ઓક્ટોબર બાદથી જૂની ચેકબુકનો ઉપયોગ નહીં કરી શકે. જૂની ચેકબુકને હવે PNB ચેકબુક સાથે બદલવી પડશે.
પંજાબ નેશનલ બેંકે આપી જાણકારી
PNBએ ટ્વિટ કરી છે કે, OBC અને UBIની ચેકબુકની માન્યતા 1 ઓક્ટોબરથી ખતમ જઈ જશે. કૃપા કરીને નવા IFSC અને MICRના માધ્યમથી તેને PNBની ચેકબુથી બદલી લો. બેંકે આ ફેરફારની જાણકારી ગ્રાહકોને અનેક SMS મોકલીને પણ આપી છે.
શું હશે પ્રક્રિયા?
ગ્રાહક નવી ચેકબુક માટે ATM, ઇન્ટરનેટ બેન્કિંગ અને PNB કોલ સેન્ટર દ્વારા અરજી કરી શકે છે. ગ્રાહક નજીકની બ્રાન્ચ કે PNB ONE એપથી ચેકબુક માટે અરજી કરી શકે છે. બેંકે કહ્યું છે કે PNBના ટોલ-ફ્રી નંબર 1800-180-2222 પર કોલ કરીને નવી ચેકબુક સાથે જોડાયેલી કોઈ પણ પ્રકારની સમસ્યાનું નિવારણ મેળવી શકાય છે.
SBIએ જાહેર કરી જરૂરી નોટિસ
દેશની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડીયા (SBI)એ ગ્રાહકોને એક જરૂરી નોટિસ જાહેર કરી 30 સપ્ટેમ્બર, 2021 પહેલાં પોતાના PAN કાર્ડને આધાર સાથે લિંક કરવા કહ્યું છે. જો SBI ગ્રાહક નિયત સમયમર્યાદાની અંદર આવું નહીં કરે તો તેમને બેન્કિંગ સર્વિસિસ લેવામાં મુશ્કેલી થશે.
તમને જણાવી દઈએ કે, સરકારે પાન કાર્ડને આધાર સાથે લિંક કરવું અનિવાર્ય કરી દીધું છે. હાલમાં પાન આધાર લિંક કરવાની ડેડલાઇન 30 સપ્ટેમ્બર છે. એવામાં SBIએ પોતાના ગ્રાહકોને વહેલીમાં વહેલી તકે PANને આધાર સાથે લિંક કરવાની અપીલ કરી છે.
જાણો કેવી રીતે પાનને Aadhaar સાથે લિંક કરશો
સૌથી પહેલાં ઇન્કમ ટેક્સ વિભાગની વેબસાઇટની મદદથી જાણો કે તમારું પાન આધાર સાથે લિંક થયેલું છે કે નહીં.