2019નું વર્ષ પૂરું થવામાં ફક્ત 3 દિવસ બાકી છે. આ દિવસોમાં તમારે 31 ડિસેમ્બર સુધી તમારા PAN અને ATM કાર્ડને લગતા જરૂરી કામ પતાવી દેવા પડશે. જો આમ ના કર્યું તો મુશ્કેલીમાં ફસાઈ શકો છો.
1.SBIનું મેગ્નેટિક સ્ટ્રીપ વાળું જૂનું ATM કાર્ડ
જો તમારી પાસે SBIનું મેગ્નેટિક સ્ટ્રીપ વાળું જૂનું ATM કાર્ડ છે તો 31 ડિસેમ્બર સુધી બદલાવી લો. જો ના બદલાવ્યું તો એવી સંભાવના છે કે ATM કાર્ડ બંધ થઇ જાય. SBI સતત આ માટે ગ્રાહકોને કહી રહી છે.
ATM કાર્ડનું રિપ્લેસમેન્ટ ફ્રી ઓફ કોસ્ટ છે અને તેને ઓનલાઇન કે હોમ બ્રાન્ચથી બદલાવી શકાશે અને નવા કાર્ડ માટે અરજી થઇ શકશે.
સૌથી પહેલા તો એ ચેક કરો કે કાર્ડની આગળની બચી કોઈ ચિપ છે કે નથી. જો નથી તો આ મેગ્નેટિક સ્ટ્રીપ કાર્ડ છે. આ કાર્ડમાં પાછળ એક પટ્ટી લગાવેલી હોય છે જ્યાં ઇન્ફોર્મેશન સ્ટોર થાય છે. આ કાર્ડ હેકર્સના નિશાન પર હોય છે. આ કારણે 2018માં RBIએ આ ચિપ વાળા કાર્ડ ઈન્ટ્રોડ્યુસ કર્યા હતા.
31 ડિસેમ્બર સુધી PAN કાર્ડ અને આધાર કાર્ડને લિંક કરાવવા જરૂરી છે. જો તમે આમ ન કર્યું તો central board of direct taxes PAN કાર્ડને અમાન્ય ઘોષિત કરી શકે છે. આ માટે ઇન્કમ ટેક્સની વેબસાઈટ incometaxindiaefiling.gov.in પર જવું પડશે.
2. PAN કાર્ડ અને આધાર કાર્ડને લિંક કરાવવા આ પગલાં અનુસરો
સૌથી પહેલા incometaxindiaefiling.gov.in સાઈટ પર જાઓ
ડાબી બાજુ આધાર લિંકનો ઓપશન દેખાશે.
ત્યાર બાદ એક નવું પેજ ખુલશે જ્યાં સૌથી ઉપર લાલ રંગથી Click Here લખ્યું હશે.
જો તમે પહેલેથી PAN કાર્ડ અને આધાર કાર્ડને લિંક કરાવી લીધું છે તો અહીં તમે વેરીફાય કરી શકશો.
જો લિંક નથી કર્યું તો Click Hereની નીચેના બોક્સમાં PAN, આધાર નંબર, પોતાનું નામ અને કેપ્ચા એન્ટર કરો. આ સાથે જ લિંકિંગ પ્રોસેસ પુરી થશે.
ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ પ્રમાણે 567678 અથવા 56161 ઉપર SMS કરીને પણ સ્ટેટસ જાણી શકાશે.
આ માટે તમારે UIDPAN <12 આંકડાનો આધાર નંબર> <10 આંકડાનો PAN નંબર> ટાઈપ કરીને મેસેજ સેન્ડ કરવાનો રહેશે. તેના રીપ્લાય પરથી જાણી શકાશે કે PAN કાર્ડ અને આધાર કાર્ડને લિંક કરાવી લીધું છે કે નહીં.