ભારતમાં લાખો લોકો ગવર્મેન્ટ નોકરી મેળવવા માટે પ્રયાસ કરી રહ્યાં છે પરંતુ ઘણા લોકોને નોકરી મળતી નથી. કેટલીક બાબતો જ્યોતિષશાસ્ત્ર સાથે જોડાયેલી હોય છે.
સારુ કરિયર મેળવવા માટે આવી રેખા જરૂરી
હાથમાં તપાસી જુઓ સરકારી નોકરી નસીબમાં છે કે નહી
દરેક વ્યક્તિ સરકારી નોકરી મેળવવા માટે મહેનત કરે છે
સારા કરિયરની ચાહત દરેક વ્યક્તિને હોય છે. સમયની સાથે સાથે નવા ચેલેન્જ સામે આવતા રહે છે. નવી ઓપોર્ચ્યુનીટિ સાથે લોકો શાનદાર કરિયર પણ બનાવી રહ્યાં છે પરંતુ સરકારી નોકરીમાં મળતી સિક્યોરીટી પ્રાઇવેટ જોબમાં હોતી નથી. કેટલાક લોકોનું આ સપનુ પુરુ થતુ નથી તેની પાછળ ઘણા કારણ હોય છે. હસ્તરેખાશાસ્ત્રથી જાણીએ કે કેવી રેખા હોય તો સરકારી નોકરી મળવના ચાન્સ વધી જાય છે.
આવી હથેળી હોય તો મળશે સરકારી નોકરી
જો હથેળીમાં ગુરુ પર્વત સારી રીતે વિકસીત હોય અને કોઇ સીધી રેખા હોય તો આવા લોકોને સરકારી નોકરી જલ્દી મળે છે.
સૂર્ય પર્વત વિકસિત હોય અને તેમાંથી સીધી રેખા નીકળે તો આવા જાતકોને સરકારી નોકરી જલ્દી મળે છે.ચ
જાતકની હથેળીમાં ભાગ્ય રેખાથી નીકળીને કોઇ રેખા ગુરુ પર્વતની તરફ જાય છે તો તેને ખુબ શુભ માનવામાં આવે છે. આવી વ્યક્તિ માત્ર સરકારી નોકરી જ નથી મળેવતી પરંતુ તે મોટા પદ પર પણ પહોંચે છે.
ભાગ્ય રેખાથી નીકળીને કોઇ રેખા સૂર્ય પર્વત પર જાય તેવો જાતક ખુબ ભાગ્યશાળી હોય છે. આવા લોકોને મોટા પદવાળી સરકારી નોકરી મળે છે.