કોઇ પણ મેડિકલ શોપમાંથી ખરીદીને યુઝ કરવામાં આવતી દવાના ઉપયોગથી મોતિયો, આંખોનું ઇન્ફેક્શન, ગ્લુકોમા કે આંખોમાં આંખોમાં કમજોરી અને અંધાપાનું કારણ પણ બની શકે છે.આંખોમાં લાલાશ, પાણી આવવું, ખંજવાળ આવવી અને આંખો ભારે લાગવી તે બધા લક્ષણ છે. તેથી આઇ ડ્રોપનો પ્રયોગ કરતા પહેલા તપાસ કરો.
આંખોની વધતી સમસ્યાઓમાં એક પ્રમુખ કારણ બનીને બહાર આવી રહ્યુ છે સ્ટેરોઇડ ઇંડ્યુસ્ડ દવાઓ, ડ્રોપ વગેરેનો પ્રયોગ. ગરમી હોય કે ઠંડી કે પછી વરસાદનો માર સહન કરેલી આંખો અથવા તો પ્રદુષણના લીધે બળતી આંખો અથવા તો ડસ્ટ એલર્જી. આવી બધી બાબતોમાં હવે આઇ ડ્રોપનો ઉપયોગ વધી ગયો છે. સૌથી પહેલા તો કોઇ પણ પ્રકારની દવાઓ ડોકટરની સલાહ વગર ન લેવી જોઇએ. કોઇ પણ મેડિકલ શોપમાંથી ખરીદીને યુઝ કરવામાં આવતી દવાના ઉપયોગથી મોતિયો, આંખોનું ઇન્ફેક્શન, ગ્લુકોમા કે આંખોમાં આંખોમાં કમજોરી અને અંધાપાનું કારણ પણ બની શકે છે. હવે બજારમાં સ્ટેરોઇડ યુક્ત દવાઓ મળવા લાગી છે જે આંખોની સમસ્યામાં તરત રાહત આપે છે, પરંતુ લાંબો સમય તેનો પ્રયોગ કરવાથી આંખોની સુક્ષ્મ અને બારીક નસો પર દબાણ વધે છે. આંખોમાં લાલાશ, પાણી આવવું, ખંજવાળ આવવી અને આંખો ભારે લાગવી તે બધા આના લક્ષણ છે. તેથી આઇ ડ્રોપનો પ્રયોગ કરતા પહેલા તપાસી લો તેમાં ક્યાંક સ્ટેરોઇડ તો નથી ને..
શું ધ્યાન રાખશો
ઇંહેલરનો પ્રયોગ કરનાર લોકોને હંમેશા માથામા કે આંખમા દુખાવો રહે છે. આવું તેમાં રહેલા સ્ટેરોઇડના દુષ્પ્રભાવોથી થાય છે. શ્વાસના રોગીઓ તેને શ્વાસની તકલીફ માને છે. નિષ્ણાતો ફિઝિકલ એક્ઝામિનેશન બાદ એન્ટી એલર્જીક આઇ ડ્રોપ આપે છે. એલર્જી થતી હોય તેવી વસ્તુઓથી દુર રહો. સ્ટેરોઇડ યુક્ત દવાનો ડોઝ ડોકટર્સને નક્કી કરવા દો, તમે ખુદ ન કરો.
આટલી સાવધાની રાખો
બહાર ખુલ્લી હવા કે તડકામાં જાવ ત્યારે સનગ્લાસ જરુર પહેરો.
પાણીથી વારંવાર આંખ ધોવાથી પ્રાકૃતિક પાણી નષ્ટ થઇ જાય છે.
દિવસમાં 2 કે ત્રણ વખત જ આંખ ધુઓ
લીલા શાકભાજી ખાવ અને ડોક્ટરની સલાહ વગર કંઇ જ ન કરો