આદિવાસી બહુલ છોટાઉદેપુર જિલ્લાનાં ક્વાંટ તાલુકાનું ભેખડિયા ગામ. હાલ રાજ્યમાં ઘેરા બનેલા જળસંકટથી આ ગામ પણ બાકાત રહ્યું નથી. પરંતુ અન્ય ગામોનાં નાગરિકોની જેમ આ ગામનાં નાગરિકોએ પાણી માટે સરકાર સામે બાંયો ચડાવી નથી. કેમ કે આ ગામનાં નાગરિકોને તો સમસ્યાનો કાયમી છૂટકારો જોઈતો હતો. એટલે તેમણે સમસ્યાનું મૂળ જ શોધી કાઢયું.
રાજ્યમાં જેમ જેમ ઉનાળો આકરો બની રહ્યો છે તેમ તેમ જળસંકટ ઘેરું બની રહ્યું છે. આ સ્થિતિમાં અનેક વિસ્તારોમાંથી પાણીનાં પોકાર સંભળાઈ રહ્યાં છે પરંતુ તેનાથી વિપરિત રાજ્યનાં છોટાઉદેપુર જિલ્લાનાં ભેખડિયા ગામમાંથી જળસંકટ નિવારણ માટેનાં લોકપ્રયાસોની હાંક પણ સંભળાઈ રહી છે. જળક્રાંતિનાં પ્રણેતા મનસુખ સુવાગિયાએ બીડુ ઝડપ્યું તો પાણીનાં સંકટ સામે ઝઝુમતા નાગરિકોએ અહીં જાત મહેનતે ચેકડેમ બનાવી પોતાની ખુદ્દારીનો પરિચય આપી દીધો છે. તો કેવો છે આ ચેકડેમ અને કઈ રીતે આકરપામી સંગઠન શક્તિ તે જોઈએ આ અહેવાલમાં.
આ છે આદિવાસી બહુલ છોટાઉદેપુર જિલ્લાનાં ક્વાંટ તાલુકાનું ભેખડિયા ગામ. હાલ રાજ્યમાં ઘેરા બનેલા જળસંકટથી આ ગામ પણ બાકાત રહ્યું નથી. પરંતુ અન્ય ગામોનાં નાગરિકોની જેમ આ ગામનાં નાગરિકોએ પાણી માટે સરકાર સામે બાંયો ચડાવી નથી. કેમ કે આ ગામનાં નાગરિકોને તો સમસ્યાનો કાયમી છૂટકારો જોઈતો હતો. એટલે તેમણે સમસ્યાનું મૂળ જ શોધી કાઢયું અને તેમણે ગામમાં સહિયારા પ્રયાસોથી ચેકડેમ બનાવવાનો વિચાર ઘડી કાઢયો અને તેને આકાર પણ આપી દીધો.
ગામ લોકો વચ્ચે ગામમાં ચેકડેમ બનાવવાનો વિચાર વહેતો મૂકનાર આ છે. મનસુખ સુવાગિયા. ધોરણ 12 પાસ એવા ખેડૂત પુત્ર અને જળક્રાંતિ ટ્રસ્ટનાં પ્રમુખ મનસુખ સુવાગિયાએ પોતાનાં આચરણથી લોકોને પ્રેરણા આપવા અનોખી પહેલ આદરી છે. તેમણે ચેકડેમ નિર્માણ કાર્ય અભિયાનમાં રૂ.પાંચ લાખનું દાન કર્યું એટલું જ નહીં તેમણે શ્રમદાન કરીને ગામ લોકોને પણ શ્રમદાન કરવા પ્રોત્સાહિત કર્યા છે.
લોકોને શ્રમ અને સંગઠન શક્તિની પ્રેરણા આપવા તેમણે 2018માં ચેક ડેમની બનાવવાની શરૂઆત કરી હતી. માત્ર નાણાંકીય સહયોગ જ નહીં પરંતુ તેઓ પોતે પણ શ્રમદાનમાં જોડાયા હતાં. હાલમાં ભેખડિયા ગામે જળ ક્રાંતિ ટ્રસ્ટ અને ગ્રામજનોનાં સહયોગથી ગામમાં 21 ચેક ડેમ બનાવવામાં આવ્યાં છે. જ્યાં એક તરફ જળસંકટ માટે કેટલાંક નાગરિકો સરકારને જવાબદાર ઠેરવી રહ્યાં છે અને વિરોધ પ્રદર્શનો કરી રહ્યાં છે ત્યારે આ ગામનાં લોકો મનસુખભાઈની પ્રેરણાથી સમસ્યાનો ઉકેલ શોધવા પ્રયાસરત છે.
જો કે એવું નથી કે ચેકડેમ બનાવવા માટે અહીં સરકારે કોઈ પ્રયાસ હાથ ધર્યા. સરકારે અહીં ભૂતકાળમાં ચેકડેમ તો બનાવ્યા છે પરંતુ તેને નિર્માણકાર્ય દરમિયાન જ ભ્રષ્ટાચારનો એવો તો લૂણો લાગી ગયો કે એ ચેકડમ નિર્માણનાં એકાદ વર્ષમાં જ તૂટી ગયા. જેનાં કારણે ગામનાં લોકોને પોતની સમસ્યાનો ઉકેલ જાતે જ શોધવાની ફરજ પડી. જળસેવાનાં ભેખધારી મનસુખ સુવાગિયાને આદિવાસી પટ્ટામાં પણ સૌરાષ્ટ્રજેવી પાણીની તંગીના ભણકારા અગાઉથી સંભળાઈ ચૂક્યાં હતાં.
આથી તેઓ પાછળા 20 વર્ષથી જળ સમસ્યાનાં નિવારણ માટે કામ કરી રહ્યાં છે. સરકારી બજેટથી ઓછા ખર્ચે ગુણવત્તા યુક્ત ચેકડેમનું નિર્માણ કરીને તેઓ સરકારી ભ્રષ્ટાચારને લપડાક મારી રહ્યા છે. એટલું જ નહીં લોકોના શ્રમફાળાથી બનેલા ચેકેડેમોને પર સામૂહિક શ્રમશક્તિનું જ નામાકરણ કરીને લોકોનાં પ્રયાસોને તેઓ બિરદાવી રહ્યાં છે.
માત્ર જળસંકટનાં નિવારણ માટે જ નહીં પરંતુ ગામમાં વ્યસનમુક્તિની વાત હોય કે, કૃષિને સમૃદ્ધ બનાવવાની વાત હોય મનસુખ સુવાગિયા ગામ લોકો વચ્ચે સંગઠનશક્તિનું મહત્વ સારી રીતે સમજાવવામાં સફળ રહ્યાં છે અને આ તેનું જ ફળ છે કે તેમનાં પ્રયાસથી ભેખડિયા ગામ દારૂ, તમાકુ કે ધૂમ્રપાન જેવા વ્યસનથી મુક્ત બનીને દિવ્ય ગામ બનવા તરફ પ્રયાણ કરી શક્યું છે.