પંજાબમાં પ્રધાનમંત્રી મોદીની સુરક્ષામાં ખામીનો મુદ્દો જોર પકડી રહ્યો છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પણ આ ઘટના અંગે ચિંતા વ્યક્ત કરી છે. દરમિયાન ખેડૂત નેતા રાકેશ ટીકાતે આ ઘટના અંગે નું વિવાદાસ્પદ નિવેદન હવે સામે આવ્યું છે. રાકેશ ટીકાતે આ ઘટનાને સ્ટંટ ગણાવી હતી અને કહ્યું હતું કે, આ લોકોની સહાનુભૂતિ મેળવવા માટે સસ્તો પ્રયાસ છે.
#WATCH | When PM was coming to Punjab, what arrangements did he make regarding security? The news about him saying that he survived makes it clear that it was a stunt. It was an attempt to find a cheap way to gain public sympathy: BKU leader Rakesh Tikait pic.twitter.com/PQr0B8hdlX
પીએમે પંજાબમાં સુરક્ષા વ્યવસ્થા કેમ ન કરી? ટીકૈતનો સવાલ
રાકેશ ટીકૈતે કહ્યું કે જ્યારે પીએમ પંજાબ આવી રહ્યાં હતા ત્યારે તેમણે સુરક્ષા અંગેની ગોઠવણી કેમ ન કરી. તેમના સુરક્ષિત પાછા જવાની ખબરથી સ્પસ્ટ છે કે આ એક સ્ટંટ હતો. આ લોકોની સહાનુભૂતિ મેળવવાનો સસ્તો પ્રયાસ હતો.
સિદ્ધુએ પણ સાધ્યું નિશાન
પંજાબમાં હુસૈનીવાલામાં PM નરેન્દ્ર મોદીની સુરક્ષામાં ક્ષતિ રહી જવાનાં મામલે હવે પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુએ ઝુકાવ્યું છે. સિદ્ધુએ આ ઘટનાને નાટક સમાન ગણાવી હતી. સિદ્ધુએ કહ્યું કે તેઓને જ્યાં જવાનું હતું તે સ્થળે ખુરશીઓ ખાલી રહેવાના કારણે રેલી રદ કરવામાં આવી હતી. અન્યથા સુરક્ષાની કોઈ ક્ષતિ રહી નથી.
પંજાબમાં પ્રધાનમંત્રી મોદીની સુરક્ષામાં થયેલી ચૂકનો મુદ્દાએ જોર પકડ્યું
પંજાબમાં પ્રધાનમંત્રી મોદીની સુરક્ષામાં થયેલી ચૂકના મુદ્દાએ જોર પકડ્યું છે. પૂર્વ પ્રધાનમંત્રી એચડી દેવગૌડાએ પણ પીએમ મોદીની સુરક્ષા અંગે ઉઠેલા વિવાદને અત્યંત દુર્ભાગ્યપૂર્ણ ગણાવતા કહ્યું કે ભારતના ટોચના હોદ્દા પર બીરાજમાન વ્યક્તિની સુરક્ષામાં કોઈ પણ પ્રકારની બાંધછોડ ન થઈ શકે. તેમણે કહ્યું કે આપણે ભૂતકાળની ભૂલોમાંથી બોધપાઠ લેવો જોઈએ.