છત્તીસગઢના કોરિયા જિલ્લામાં જંગલી હાથી પાકની સાથે સાથે ગામના લોકોની સંપત્તિને પણ ભારે નુક્સાન પહોંચાડતા હતા. રાજ્યનું વન વિભાગ હાથિઓને શાંત કરાવવા માટે પૂરી રીતે નિષ્ફળ નિવડ્યુ હતુ. આ પરેશાનીને દૂર કરવા માટે રાજ્યના શ્રમ મંત્રી ભઈયાલાલ રજવાડીએ અનોખી રીત અપનાવી છે.
તેમણે ગુરુવારે હથિઓને શાત કરાવવા માટે એક પૂજા કરી. તેના માટે વન વિભાગે સ્વયં પંડિતને બોલાવ્યો હતો. આ દરમ્યાન મંત્રિએ રીતિ રિવાજથી પૂજા કરી. પૂજા બાદ તેમણે કહ્યુ કે હાથી ગણેશ ભગવાનનું રૂપ હોય છે. હવે તેઓ ગાંમના લોકોને પરેશાન કરવાનું છેડી દેશે. તેમણે કહ્યુ કે પૂજા બાદ જંગલી હાથીઓ શાંત પડી જશે.
વન વિભાગ કર્મચારીનું કહેવું છે કે તેની અસર જરૂરથી થશે. આવી જ એક પૂજા સરગુજામાં પણ કરવામાં આવી હતી જેથી હવે ત્યાં હાથી જંગલથી બહાર આવતા નથી. છેલ્લા કેટલાક દિવસોથી હાથિઓએ સમગ્ર વિસ્તારમાં તબાહી મચાવી હતી.