છતીસગઢના વિલાસપુરમાં એક 6 વર્ષની બાળકી જેલમાં રહેતી હતી. અને ભણવાની ખુબ શોખીન હતી. ત્યારે એક મુલાકત દરમિયાન તેમને એક IAS ઓફિસર મળે છે અને છોકરીને પૂછે કે તારે શું બનવું છે ત્યારે છોકરી જવાબ આપતાં કહે છે મારે ભણવું છે અને આ વાત IAS ઓફિસરના દિલને ભાવુક કરી ગઈ અને તેમનો શહેરની સારામાં સારી સ્કુલમાં ભણવા મોકલી. આ ઘટના થોડા સમય પહેલા બની હતી.
બાળકી જન્મ સાથે જ માંનું મૃત્યુ થયું હતું
IASએ છોકરીની મદદ કરી
આ પહેલ સમાજને પ્રેરણા આપે છે
છતીસગઢના વિલાસપુરમાં એક છ વર્ષની છોકરીના જીવનમાં એક નવી સવાર આવી છે. આ છોકરી થોડાક મહિનાની હતી ત્યારે જેલમાં લાવ્યા હતાં. એટલા માટે નહિ કે તેણે કોઈ ગુનો કર્યો હતો. પરંતુ તેમના પિતા સિવાય તેમના જીવનમાં કોઈ હતું નહીં. પિતાએ ગુનો કર્યો હતો અને તેને જેલની સજા થઈ હતી. અને આ બાળકી ત્યારથી જેલમાં રહેતી અને અહીં જ તે મોટી થઈ પરંતુ એક IAS ઓફિસરે તેમની જિંદગી બદલી નાખી.
બાળકી જન્મ સાથે જ માંનું મૃત્યુ
આશરે 6 વર્ષની આ છોકરીની માતાનું અવસાન તેમના જન્મ સમયે જ થયું હતું. કોઈ તેમની સારસંભાળ લેવા વાળા ન હતા. ત્યારબાદ તેને તેના પિતા સાથે જેલમાં જ રાખવામાં આવી અને જેલ પ્રશાસનની મહિલાઓએ છોકરીની સારસંભાળ કરવાની જવાબદારી લીધી.
IASએ પૂછ્યું તો કહ્યું કે સ્કુલ જવા માંગુ છું
સમય જતાં જ છોકરી મોટી થવા લાગી અને જેલની જ પ્લે સ્કુલમાં ભણવા લાગી. સામાન્ય છોકરાની જેમ તેમને પણ ટીવી જોવાનો શોખ છે. પરંતુ તેમને ભણવાની પણ એટલી જ ઈચ્છા છે. આ વાત થોડા સમય પહેલાની છે જ્યારે બિલાસપુરના કલેક્ટર ડો.સંજય અલંગ જેલના નિરીક્ષણ માટે પહોચ્યા ત્યારે તેમની મુલાકાત આ દીકરી સાથે થઈ. કલેક્ટરે પૂછ્યું કે શું કરવા માંગે છે ત્યારે તેમણે કહ્યું કે જેલથી બહાર નીકળીને ભણવા માંગુ છું.
શહેરની મોટી સ્કુલમાં દાખલ કરી
છોકરીની ભણવાની આ ઈચ્છા IAS અધિકારી ડો.સંજય અલંગના દિલને ભાવુક કરી ગઈ. તેમણે જેલના અધિકારીઓને વાત કરી અને સ્કુલમાં છોકરીનું એડમિશન કરાવ્યું. કલેક્ટરની આ પહેલની સૌ લોકો ચર્ચા કરી રહ્યાં છે.
જણાવી દઈએ કે ડો.સંજય અલંગ પોતે પણ ભણવાના શોખીન છે. અને તે સાહિત્યકાર પણ છે. તેમણે ઘણી બધી બુકો પણ લખી છે. ધ બેટર ઇંડિયાના એક રીપોર્ટસ અનુસાર કલેક્ટર સાહેબને તેમના પુસ્તકો અને કવિતાઓ પર 'રાષ્ટ્રકવિ દિનકર સન્માન', 'ભારત ગૌરવ સન્માન' અને 'સેવા શિખર સન્માન' એવોર્ડ મળી ચુક્યા છે.
બદલાવ સામાન્ય નાગરીકોના કારણે જ સંભવ છે
પોતાની આ પહેલ પર ડો.સંજય કહે છે કે સકારાત્મક બદલાવ સામાન્ય નાગરિકોને કારણે જ સંભવ છે. પરંતુ બીજા લોકો પણ આવા છોકરાનું બેકગ્રાઉન્ડ ન જોઇને માત્ર તેમની જિંદગી બદલવા માટે આગળ આવો અને તેમને મદદ કરો. આવા છોકરાને સારું ભવિષ્ય આપી શકો છો.