આણંદ જિલ્લામાં એક માસમાં વિદેશથી 544 જેટલા બિન નિવાસીય ભારતીય આવ્યા છે. આ વિદેશી પ્રવાસીઓમાંથી હાઇરિસ્ક દેશોમાંથી 244 અને અન્ય દેશમાંથી 300 લોકો આવ્યા.
આણંદ પંથકમાં એક માસમાં વિદેશથી 544 NRI આવ્યા
હાઇરિસ્ક દેશોમાંથી 244 અને અન્ય દેશમાંથી 300 લોકો
બે પ્રવાસીઓને કોરોના, જીનોમ સિકવેન્સ સેમ્પલ્સ પૂણેમાં
ગુજરાતમાં ચિંતાજનક રીતે વધતા કોરોના સંક્રમણ કેસ સાથે અચાનક વધેલા ઓમિક્રોન કેસથી રાજ્ય સરકાર અને આરોગ્ય વિભાગ ચિંતિત બન્યા છે. ત્યારે આણંદ જિલ્લામાં એક માસમાં વિદેશથી 544 જેટલા બિન નિવાસીય ભારતીય આવ્યા છે. આ વિદેશી પ્રવાસીઓમાંથી હાઇરિસ્ક દેશોમાંથી 244 અને અન્ય દેશમાંથી 300 લોકો આવ્યા આ પંથકમાં આવ્યા છે. હાઈ રિસ્ક દેશોમાંથી આવેલા બે પ્રવાસીઓને કોરોના થયાનું સામે આવ્યું છે. આ બંને દર્દીઓના જીનોમ સિકવેન્સ માટે સેમ્પલ પુણે મોકલવામાં આવ્યા છે. તો 253થી વધુ વિદેશમાંથી આવેલાને હોમ આઇસોલેટ કરવામાં આવ્યા છે. તમામના 8 દિવસ બાદ RTPCR ટેસ્ટ કરવામાં આવશે. સ્થાનિક વહીવટી તંત્રે તમામને કોરોના ગાઈડ લાઇન પાલન કરવા અપીલ કરી છે.
આ છે કોરોના અપડેટ્સ
6 મેના રોજ દૈનિક કેસની સંખ્યા ટોચ પર પહોંચી ગઇ હતી. દેશમાં 24 કલાકમાં 4,14,188 કોરોનાના કેસ નોંધાયા હતા. 547 દિવસ બાદ સક્રિય કેસની સંખ્યા 1 લાખ કરતાં નીચે નોંધાઇ હતી.
નવા કોરોના વાયરસની સંખ્યામાં દૈનિક વધારો સતત 54 દિવસથી 20 હજાર કરતાં પણ ઓછો રહ્યો છે. હવે સતત 156 દિવસથી રોજ 50000થી પણ ઓછા નવા કેસ નોંધાયા છે.
દેશમાં કોરોના વાયરસનો પહેલો કેસ 30 જાન્યુઆરી 2020ના રોજ કેરળમાં નોંધાયો હતો.
ભારતમાં કોરોના કેસનો આંકડો 7 ઓગસ્ટ 2020 ના રોજ 20 લાખ, 23 ઓગસ્ટે 30 લાખ, 5 સપ્ટેમ્બરે 40 લાખ અને 16 સપ્ટેમ્બરે 50 લાખને વટાવી ગયો હતો.
28 સપ્ટેમ્બરે 60 લાખ, 11 ઓક્ટોબરે 70 લાખ, 29 ઓક્ટોબરે 80 લાખ, 20 નવેમ્બરે 90 લાખ અને 19 ડિસેમ્બર 2020ના રોજ એક કરોડને પાર કેસની સંખ્યા થઇ હતી.
આ વર્ષે 4 મેના રોજ 2 કરોડ કોરોના વાયરસ કેસ અને 23 જૂને 3 કરોડના આંકડાને પાર કર્યો હતો.