અક્ષય તૃતીયા બાદ હિન્દુ ધર્મમાં વિશેષ મહત્વ ધરાવતી ચારધામ યાત્રા શરૂ થઇ ચૂકી છે. શ્રદ્ધાળુઓ માટે હંમેશાથી એ ક્ષણ વિશેષ હોય છે જ્યારે ગંગોત્રી અને યમુનોત્રીના કપાટ ખોલવામાં આવે છે.
અક્ષય તૃતીયા બાદ હિન્દુ ધર્મમાં વિશેષ મહત્વ ધરાવતી ચારધામ યાત્રા શરૂ થઇ ચૂકી છે. શ્રદ્ધાળુઓ માટે હંમેશાથી એ ક્ષણ વિશેષ હોય છે જ્યારે ગંગોત્રી અને યમુનોત્રીના કપાટ ખોલવામાં આવે છે.
અક્ષય તૃતીયાના પાવન અવસરે ચારધામની યાત્રા શરૂ થઇ ચુકી છે. ત્યારે શ્રદ્ધાળુઓમાં ચારધામ યાત્રાને લઇને અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. એવામાં ઉત્તરાખંડ સરકાર પણ આ હિન્દુ તીર્થધામોની વાર્ષિક યાત્રાને સફળ બનાવવા તૈયારીમાં લાગી ગઇ છે.
ગંગોત્રી મંદિર કમેટીના અધ્યક્ષ સુરેશ સેમવાલે આ વિશે જાણકારી આપતા જણાવ્યું, 'તીર્થ યાત્રીઓ માટે ગંગોત્રી અને યમુનોત્રી મંદિરના કપાટ અક્ષય તૃતીયાના પાવન પર્વ પર મંગળવારે ખુલી ગયા છે.
જ્યારે કેદારનાથના કપાટ ગુરુવારે અને બદ્રીનાથના કપાટ શુક્રવારે ખોલવામાં આવશે. સેમવાલનું કહેવું છે કે આ વખતે ગત વર્ષની તુલનામાં વધારે શ્રદ્ધાળુઓના આવવાની આશા છે. ગત વર્ષે 3.99 લાખથી વધારે શ્રદ્ધાળુઓએ ચારધામની યાત્રા કરી હતી. યમુનોત્રી મંદિર કમેટીના ઉપ અધ્યક્ષ જગમોહન ઉનિયાલે જણાવ્યું કે યમુનોત્રી મંદિરના કપાટ ખુલવાનો સમય અને તારીખની જાહેરાત 14 મે કરવામાં આવશે.
ઉપ અધ્યક્ષે મુજબ યમુનોત્રી મંદિરના પોર્ટલ પણ 7 મે ખોલવામાં આવશે. જ્યારે સમય અને બાકી જાણકારી 14 મે જાહેર કરાશે. ગત વર્ષે 3.6 લાખ શ્રદ્ધાળુઓએ ધામના દર્શન કર્યા હતા. આ વખતે વધુ શ્રદ્ધાળુઓ આવશે તેવી અમને પૂર્ણ આશા છે. આપને જણાવીએ કે બદ્રીનાથ અને કેદારનાથ માટે મંદિરોના પોર્ટલ 10 મે અને 9 મે ખોલવામાં આવશે.
કેદારનાથ ધામના ત્રણ હજાર યાત્રીઓના રોકાવાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. એટલુ જ નહીં જો તમે ત્યાં જઇ રહ્યા છો તો તમારે કેટલીક બાબતોને ધ્યાનમાં રાખવાની જરૂર પડી શકે છે.
યાત્રા શરૂ કરતા પહેલા તમારે ગરમ કપડા સાથે લેવાના રહેશે. ઉપરાંત રેન કોટ, છત્રી, અને ટોર્ચ પણ સાથે રાખવી.
ખાસ ધ્યાન એ રાખવું કે દર વર્ષે ઠંડીના સમયે હિમપ્રપાત અને ભીષણ ઠંડી હોવાને કારણે ચારધામના કપાટ ઓક્ટોબર-નવેમ્બરમાં બંદ કરી દેવામાં આવે છે. જે ત્યાર પછીના વર્ષે એપ્રિલ-મેમાં ફરી ખોલી દેવામાં આવે છે.