બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / ચારધામ યાત્રાના યાત્રિકોની સંખ્યાએ તોડ્યા અગાઉના રેકોર્ડસ, આંકડો 28 લાખને પાર થયો

રેકોર્ડ / ચારધામ યાત્રાના યાત્રિકોની સંખ્યાએ તોડ્યા અગાઉના રેકોર્ડસ, આંકડો 28 લાખને પાર થયો

Last Updated: 10:33 AM, 14 June 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વિકટ હવામાનની સમસ્યા અને મુશ્કેલ ભૌગોલિક પરિસ્થિતિઓ છતાં કેદારનાથ ધામની યાત્રામાં આસ્થાનો દરિયો છલકાઇ રહ્યો છે. જિલ્લા વહીવટીતંત્ર પણ યાત્રાળુઓને દરેક સુવિધા પૂરી પાડવા માટે પ્રયાસ કરાઇ રહ્યા છે

ઉત્તરાખંડમાં ચારધામ યાત્રા પૂરજોશમાં ચાલી રહી છે. માત્ર ૪૨ દિવસમાં ૧૦ લાખથી વધુ શ્રદ્ધાળુઓએ કેદારનાથ યાત્રામાં બાબા કેદારના દર્શન કરીને એક નવો રેકોર્ડ બનાવ્યો છે. બીજી તરફ ૩૦ એપ્રિલથી શરૂ થયેલી ચારધામ યાત્રામાં અત્યાર સુધીમાં ૨૮ લાખ ૩૫ હજારથી વધુ શ્રદ્ધાળુઓ પહોંચી ચૂક્યા છે.

વિકટ હવામાનની સમસ્યા અને મુશ્કેલ ભૌગોલિક પરિસ્થિતિઓ છતાં કેદારનાથ ધામની યાત્રામાં આસ્થાનો દરિયો છલકાઇ રહ્યો છે. જિલ્લા વહીવટીતંત્ર પણ યાત્રાળુઓને દરેક સુવિધા પૂરી પાડવા માટે પ્રયાસ કરાઇ રહ્યા છે.

કેદારનાથ ધામ

કેદારનાથ ધામના દરવાજા 2 મેના રોજ ખોલવામાં આવ્યા હતા, ત્યારબાદ ભક્તોનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે. અત્યાર સુધીમાં 10,18,540 ભક્તોએ બાબા કેદારના આશીર્વાદ લીધા છે, જ્યારે 13 જૂનના રોજ એક જ દિવસમાં 24,509 ભક્તોએ ભગવાન કેદારનાથના દર્શન કર્યા હતા.

યમુનોત્રી ધામ

ચાર ધામ યાત્રા યમુનોત્રી ધામથી શરૂ થાય છે. 30 એપ્રિલે ધામના દરવાજા ખોલવામાં આવ્યા હતા. ત્યારબાદ, યમુનોત્રી ધામની મુલાકાત લેનારા ભક્તોની સંખ્યા વધી રહી છે. અત્યાર સુધીમાં 4,60,335 ભક્તોએ મા યમુનોત્રી ધામની મુલાકાત લીધી છે. 13 જૂને એક જ દિવસમાં 10,840 ભક્તોએ યમુનોત્રી ધામની મુલાકાત લીધી હતી.

ગંગોત્રી ધામ

ચાર ધામ યાત્રાનો બીજો પડાવ ગંગોત્રી ધામ છે. મોટી સંખ્યામાં ભક્તો ગંગોત્રી ધામ પણ પહોંચી રહ્યા છે. ૩૦ એપ્રિલથી શરૂ થયેલી યાત્રામાં અત્યાર સુધીમાં ૪,૬૩,૩૩૨ ભક્તો ગંગોત્રી ધામ પહોંચ્યા છે. ૧૩ જૂને ૧૧,૯૨૩ ભક્તોએ મા ગંગાના દર્શન કર્યા હતા.

બદ્રીનાથ ધામ

ચાર ધામ યાત્રાનો છેલ્લો પડાવ બદ્રીનાથ ધામની મુલાકાત છે. અત્યાર સુધીમાં 7,90,913 ભક્તોએ બદ્રીનાથ ધામની મુલાકાત લીધી છે, જ્યારે 13 જૂને 19,544 ભક્તોએ ભગવાન બદ્રીવિશાલના દર્શન કર્યા હતા.

આ પણ વાંચોઃ છત પર થઇ રહ્યા હતા લગ્ન, ત્યારે અચાનક જ બધા જાનૈયાઓ કડડભૂસ થઈને પડ્યા નીચે

હેમકુંડ સાહિબ

શીખોના પવિત્ર તીર્થસ્થળ શ્રી હેમકુંડ સાહિબના દરવાજા 25 મેના રોજ ખોલવામાં આવ્યા હતા. અત્યાર સુધીમાં 1,01,838 ભક્તોએ હેમકુંડ સાહિબના દર્શન કર્યા છે. 13 જૂનના રોજ 6,178 ભક્તોએ હેમકુંડ સાહિબના દર્શન કર્યા હતા.

13 જૂનના રોજ કુલ 72,994 શ્રદ્ધાળુઓએ ચારધામ યાત્રા કરી હતી. અત્યાર સુધીમાં કુલ 28,35,958 શ્રદ્ધાળુઓએ ચારધામ યાત્રા કરી છે. આમાં હેમકુંડ સાહિબના દર્શન કરનારા શ્રદ્ધાળુઓની સંખ્યા પણ શામેલ છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

New Record Pilgrims Chardham Yatra
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ