બદરીનાથ ધામના કપાટ બ્રહ્મમુહર્તમાં પુષ્ય નક્ષત્ર અને વૃષ લગ્નમાં 4. 15 વાગે ખુલ્યા. કોરોનાને જોતા ફર્ત હક હકૂકધારિયો, ધર્માધિકારી અને આચાર્ય બ્રાહ્મણોના મંદિરની અંદર આવવાની પરવાનગી આપી. મંદિરના કપાટ ખુલતા જ બદ્રીનાથના જયઘોષથી ધામ ગુંજાયમાન થઈ ઉઠ્યા. ધામમાં પહેલી પુજા અને મહાભિષેક પીએમ મોદી તરફથી કરવામાં આવ્યો. આ દરમિયાન તેમની તરફથી વિશ્વ કલ્યાણ અને આરોગ્યતાની ભાવનાથી પૂજા અર્ચના તથા મહાભિષેક સમર્પિત કરવામાં આવ્યો.
Portals of Uttarakhand's Badrinath temple open with rituals in a ceremony that took place at 4.15 am today pic.twitter.com/mft1rMe5Rn
ત્યારે સીએમ તીરથ સિંહ રાવતે પણ બદ્રીનાથના ધામથી કપાટ ખુલવાના પ્રસંગે દેશ વિદેશના શ્રદ્ધાઓએ શુભેચ્છા પાઠવી. તેમણે પ્રાર્થના કરી કે જલ્દી વિશ્વ કોરોનાની મહામારીથી મુક્ત થાય. તેમણે કહ્યુ કે મહામારીના કારણે ચાર ધામ પ્રવાસ સ્થગિત છે. તેવામાં હું તમામને પ્રાર્થના કરુ છે કે લોકો ઘરે રહીને પૂજા કરે.
દેવાલયોને 20 ક્વિંટલ ફુલોથી સજાવવામાં આવ્યા
દેવસ્થાનમ બોર્ડ તરફથી ધામના કપાટોદ્ધાટનની જોરદાર તૈયારી કરવામાં આવી હતી. નારાયણ ફ્લાવર ઋષિકેશ તથા બદ્રી કેદાર પુષ્પ સેવા સમિતી ઋષિકેશ તરફથી બદરીનાથના ધામના સિંહદ્વાર તથા અન્ય દેવાલયોને 20 ક્વિંટલ ફુલોથી સજાવવામાં આવ્યા. આ પહેલા સોમવારે સવારે 9 વાગે યોગ ધ્યાન બદરી મંદિર પાંડુકેશ્વરતી બદરીનાથ ધામના રાવલ (મુખ્ય પુજારી) ઈશ્વરી પ્રસાદ નંબૂદરીની સાથે કુબેર તથા ઉદ્ધવજીની ઉત્સવ ડોલી અને આદી ગુરુ શંકરાચાર્યની ગદ્દી બદ્રીનાથ ધામ માટે રવાના થઈ અને પૂર્વાહ્રન 11 વાગે ધામ પહોંચી હતી.
ધામ પરિસર, તપ્તકુંડ અને આસ્થા પથને સેનેટાઈજ કરવામાં આવ્યા
ધામના કપાટને ખોલવા પર કુબેર અને ઉદ્ધવ જી બદરીશ પંચાયતમાં સ્થાપિત કરવામાં આવ્યા. કોરોનાને જોતા બદ્રીનાથ ધામ પરિસર, તપ્તકુંડ અને આસ્થા પથને સેનેટાઈજ કરવામાં આવ્યા. બદરીનાથ બસ સ્ટેશનની પાસે તમામ વાહનોને સેનેટાઈઝ કર્યા બાદ ધામમાં મોકલવામાં આવ્યા . બદરીનાથના ધર્માધિકારી ભુવન ચંદ્ર ઉનિયાલે જણાવ્યુ કે બદરીનાથમાં હવામાન પ્રફુલ્લિત બની ગયુ હતુ.