ભાજપના હિન્દુ કાર્ડ પર બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનરજીએ કહ્યું હતું કે હું પણ હિન્દુ છું, મારી સાથે હિન્દુ કાર્ડ ન રમો, હું રોજ ચંડી પાઠ કરીને ઘરેથી નીકળું છું, જે હિન્દુ મુસલમાન કરે છે તે લોકો સાંભળી લે.
મમતા બેનરજીએ ભાજપને આપી ચેતવણી
હું પણ હિન્દુ છું, મારી સાથે આ રમત ન રમો : બંગાળ CM
નંદીગ્રામમાં ભાજપના શુભેન્દુ અધિકારી સામે લડશે ચૂંટણી
બંગાળ વિધાનસભાની ચૂંટણીના સંગ્રામનાય બ્યૂગલ બાજી ચૂક્યા છે, દરેક પાર્ટી પોતપોતાના વિજયના દાવા કરી રહી છે, ત્યારે બંગાળની અત્યારે સૌથી હાઇપ્રોફાઇલ સીટ બની ગયેલી નંદીગ્રામથી મમતા બેનરજીએ હુંકાર ભરી દીધી છે, અને એક રેલીમાં ભાજપની હિન્દુત્વની રાજનીતિને લઈને આક્રમક પ્રહારો કર્યા હતા.
હું પણ હિન્દુ છું : મમતા બેનરજી
ભાજપને સલાહ આપતા તેમણે કહ્યું હતું કે હું પણ હિન્દુ છું, માટે મારી સાથે આ હિન્દુ કાર્ડની રમત ન રમો તો જ સારું, હું રોજ ઘરેથી ચંડીપાઠ કરીને જ નીકળું છું, જે લોકો હિન્દુ-મુસલમાન કરી રહ્યા છે, તે સાંભળી લે, પગ ખેંચીને ખોટું બોલવાનું બંધ કરી નાખો, આવનારા દિવસોમાંઅ હું નંદીગ્રામનું વિકાસ મોડેલ તૈયાર કરવાની છું, વધુમાં જનતાને સંબોધિત કરીને તેમણે કહ્યું હતું કે એક એપ્રિલના રોજ ભાજપનું એપ્રિલ ફૂલ કરી નાખજો, ચૂંટણી પછી હું જોઈશ, કે જીભમાં કેટલી ઝેર છે, મીઠાઇ ખાવો અને જીભની કટુતા દૂર કરો.
ભાજપ પર કર્યા પ્રહાર
નંદીગ્રામની જનતાને તેમણે કહ્યું હતું કે હું તો ગામડાંની દીકરી છું, આ વખતે મહાશિવરાત્રિ અહીં જ મનાવીશ, હું આ વખતે નંદીગ્રામનું વિકાસ મોડેલ બનાવીશ, ભાજપ અહીં જૂના સીપીએમને લઈને આવી છે, માટે તેને ઘૂસવા નહીં દેતા. વધુમાં જનતાને સંબોધિત કરતાં કહ્યું હતું કે તમે લોકોએ મને સ્વીકાર કરી છે, માટે અહીંથી ચૂંટણી લડી રહી છું, તમે જો ના પાડશો, તો નામાંકન નહીં ભરું.
મહત્વનું છે કે મમતા બેનરજી ૧૦ ફેબ્રુઆરીના રોજ ચૂંટણી ફોર્મ ભરવાની છે, નોંધનીય છે કે અહીં તેમનો મુકાબલો શુભેન્દુ અધિકારી સાથે છે જે ક્યારેક મમતા બેનરજીના જમણા હાથ સમાન હતા. આ દરમિયાન તેમણે નંદીગ્રામ આંદોલનની યાદ પણ દેવડાવી હતી, તેમણે કહ્યું હતું કે તેમાં મારા પર પણ ગોળી ચાલી હતી, તે સમયે મને રાજ્યપાલે ફોન કરીને અહીં આવવાની ના પાડી હતી છતાં હું આવી હતી, હું અડગ હતી, ઘણા લોકો અમારી સાથે હોવા જોઈતા હતા, પણ તેઓ સાથે ન આવ્યા.
મમતાનું હિન્દુ કાર્ડ
મમતા બેનરજીએ નંદીગ્રામથી ચૂંટણી લડવાની જાહેરાત કરીને સૌને પહેલાથી જ ચોંકાવી દીધા છે, પરંતુ આજે એકદમ ધારણાની વિપરીત રણનીતિ અપનાવતા તેમણે હિન્દુ મતદારોનું નિશાન તાક્યું હતું, રેલી દરમિયાન પોતાને કાલીભક્ત હિન્દુ ગણાવી હતી, ભાજપને ૭૦ -૩૦ ટકાની રાજનીતિ ન કરવાની સલાહ પણ આપી હતી, સાથે જ પોતાના સ્ટેજ પર કેટલાય મિનિટ સુધી મંત્રોચ્ચાર કરીને હિન્દુ મતદારોને ટાર્ગેટ કરવાની કોશિશ કરી હતી. આ સિવાય એક જ દિવસમાં ત્રણ મંદિરોની મુલાકાત પણ લીધી હતી.