હિન્દુ માન્યતા અનુસાર શ્રીકૃષ્ણ ભગવાન વિષ્ણુના આઠમા અવતાર માનવામાં આવે છે. ભગવાનની લીલા કોઇનાથી છુપી નથી, ત્યારે શ્રીકૃષ્ણને ખુશ કરવા માટે આ મંત્રોના જાપ કરવા જોઇએ
હિન્દુ ધર્મમાં કૃષ્ણની અનોખી લીલા છે
ભગવાન કૃષ્ણને યાદ કરવાથી દૂર થાય તકલીફો
ધાર્મિક માન્યતા અનુસાર ઉચ્ચારણ સાચુ કરવુ
ધાર્મિક માન્યતાઓ અનુસાર, મંત્રોનુ સાચુ ઉચ્ચારણ સાચુ અને સારુ ફળ આપે છે. માટે આજે અમે તમને ભગવાન શ્રીકૃષ્ણથી જોડાયેલા કેટલાક એવા મંત્રો કહીશુ જેનાથી જીવનમાં ધન-સંપત્તિ, એશ્વર્ય અને જ્ઞાનની પ્રાપ્તિ થાય છે.
"कृं कृष्णाय नमः"
આ કૃષ્ણનો બતાવેલો મૂળ મંત્ર છે જેનો જાપ કરવાથી વ્યક્તિનુ અટકેલુ ધન પરત મળે છે અને આ મંત્રનો ઉચ્ચારણ તમે દૈનિક જીવનમાં પણ કરી શકો છો.
"ॐ देविकानन्दनाय विधमहे वासुदेवाय धीमहि तन्नो कृष्ण:प्रचोदयात"
આ મંત્રનો ઉપયોગ કરવાથી વ્યક્તિના જીવન અને મનથી બધા જ દુઃખ દુર થઇ જાય છે.
"हरे कृष्ण, हरे कृष्ण, कृष्ण कृष्ण, हरे हरे राम, हरे राम, राम राम, हरे हरे"
આ 16 શબ્દનો મંત્ર વૈષ્ણવ મંત્ર છે, જે ભગવાન કૃષ્ણનો સૌથી પ્રસિદ્ધ મંત્ર છે. આ દિવ્યમંત્રનુ ઉચ્ચારણ કરવાથી વ્યક્તિ ભગવાનની ભક્તિમાં લીન થઇ જાય છે.
"ऊं श्रीं नमः श्रीकृष्णाय परिपूर्णतमाय स्वाहा"
આ કોઇ સાધારણ મંત્ર નથી પરંતુ ભગવાનનો સપ્તદશાક્ષર મહામંત્ર છે. અન્ય મંત્ર શાસ્ત્રીય માન્યતાઓ અનુસાર 108 વાર જાપ કરવાથી જ સિદ્ધ થઇ જાય છે પણ આ મંત્રનો 5 લાખ વાર જાપ કરવાથી જ જાપ સિદ્ધ થાય છે.
"ओम क्लीम कृष्णाय नमः''
આ મંત્રનો જાપ કરવાથી મનુષ્યને સફળતા અને વૈભવની પ્રાપ્તિ થાય છે પરંતુ આ નિયમ-કાયદા સાથે જાપ કરવો જોઇએ.