કોઇ દોષ કે સંકટનો સામનો કરી રહ્યા હોય તો મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવાથી તમને જરૂર એ બીમારી અથવા સંકટથી રાહત મળશે.
મહામૃત્યુંજય મંત્ર ઋગ્વેદનો એક શ્લોક છે
જાપ કરવાથી અકાળે આવનાર મૃત્યુનો ખતરો ટળી જાય છે
જાપ શરુ કર્યાં પહેલા શિવલિંગની પૂજા કરો
ભગવાન શિવ તેના ભક્તો સાથે હંમેશા ઉભા રહે છે અને એમના જીવનમાં આવતી દરેક મુશ્કેલીઓથી એમને બચાવે છે. ભગવાન શિવની પૂજા-ભક્તિ કરવા માટે સોમવારના દિવસને શ્રેષ્ઠ માનવામાં આવે છે. જો કે આપણી હિંદુ ધર્મની માન્યતા અનુસાર અઠવાડિયાનો દરેક દિવસ કોઈને કોઈ દેવી દેવતાને સમર્પિત છે અને એ દિવસે એ દેવી-દેવતાની પૂજા કરવાથી વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે. પણ ભગવાન શિવને ખુશ કરવા માટે તમે સોમવાર સહીત કોઈ પણ દિવસે મહામૃત્યુંજય મંત્રનો જપ કરી શકો છો. મહામૃત્યુંજય મંત્રની મહિમા વિશે તો દરેક લોકો જાણે જ છે. એવી માન્યતા છે કે એ જાપ કરવાથી અકાળે આવનાર મૃત્યુનો ખતરો ટળી જાય છે. સાથે જ વ્યક્તિના જીવનના દરેક સંકટોનો નાશ કરે છે. મહામૃત્યુંજય મંત્ર ઋગ્વેદનો એક શ્લોક છે. શિવને મૃત્યુંજયના રૂપમાં સમર્પિત આ મહાન મંત્ર ઋગ્વેદમાં મળી આવે છે. શાસ્ત્રોની માન્યતા છે કે મહામૃત્યુંજય મંત્ર ચમત્કારી અને શક્તિશાળી મંત્ર છે. જીવનની અનેક સમસ્યાઓમાંથી બહાર આવવામાં તમને રાહત આપે છે. જો મનમાં શ્રદ્ધા હોય તો તેનું પરિણામ અચૂક મળે છે.
મહામૃત્યુંજય મંત્ર
જો તમે કોઇ પણ રોગ કે બીમારીથી પીડાઈ રહ્યા હોય અથવા તો કોઇ દોષ કે સંકટનો સામનો કરી રહ્યા હોય તો આ એક મંત્રનો જાપ કરવાથી તમને જરૂર એ બીમારી અથવા સંકટથી રાહત મળશે.
મંત્ર -ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम्।
उर्वारुकमिव बन्धनान मृत्योर्मुक्षीय मामृतात्॥
મહામૃત્યુંજય જાપની વિધિ
- મંત્ર જાપની શરુઆત પહેલા સવારે ઉઠીને સ્નાન જેવી બધી જ ઈતર પ્રવૃતિઓ કરી લો અને એ પછી ભગવાન શિવ સામે એ કાર્ય કરો જે કાર્ય પૂર્ણ કરવાની તમારાં મનમાં ઈચ્છા છે. એ પછી જ ભગવાન શિવ સામે મહામૃત્યુંજયના મંત્રનો જાપ કરો.
- આ પછી તમે શિવલિંગ સામે ઉભા રહીને મહામૃત્યુંજય મંત્રનો 1 લાખ વખત અથવા તમારી શ્રદ્ધા મુજબ જાપ કરવાનો સંકલ્પ લો.
- રુદ્રાક્ષને માળા સાથે મહામૃત્યુંજય જાપ કરવામાં આવે છે. આ સાથે જ એ મંત્રની શરૂઆત સોમવારના દિવસે કરો તો ઘણું સારું ગણાય છે.
- જો કે એ વાતનું ખાસ ધ્યાન રાખો કે મંત્રનો જાપ બપોરે 12 વાગ્યાં પહેલા કરી લો. એવી માન્યતા છે કે બપોરે 12 વાગ્યાં પછી આ મંત્રના જાપનો કોઈ લાભ મળતો નથી.
- જો તમે આ મંત્રનો જાપ ઘરે જ કરો છો તો જાપ શરુ કર્યાં પહેલા શિવલિંગની પૂજા કરો.
- જો ઘર પર શિવલિંગ ન હોય તો પહેલા મંદિરે દર્શન કરીને ઘરે પરત ફરી દીવો પ્રગટાવીને તમે આ મંત્રનો જાપ કરી શકો છો.