મા શૈલપુત્રીને પ્રસન્ન કરવા આ મંત્રનો જાપ ઓછામાં ઓછા 11 વખત જાપ કરવાથી સારું આરોગ્ય, માન-સન્માન, ધન, ઐશ્વર્ય અને સૌભાગ્ય મળે છે.
નવરાત્રીનો પ્રથમ દિવસ મા શૈલપુત્રીને સમર્પિત
અમુક મંત્રોનો જાપ કરવાથી તેઓ જલ્દી પ્રસન્ન થાય છે
મા શૈલપુત્રીની પૂજા કરવાથી આ લાભ મળે છે
આજથી નવરાત્રી શરૂ થઈ ગઈ છે અને આજથી કરીને નવ દિવસ સુધી મા દુર્ગાના નવ રૂપની પૂજા કરવામાં આવશે. નવરાત્રીનો પ્રથમ દિવસ મા શૈલપુત્રીને સમર્પિત છે. જણાવી દઈએ કે કે માતા શૈલપુત્રી હિમાલયરાજની પુત્રી છે. મા શૈલપુત્રીની વિધિવત પૂજા-અર્ચના કરવાથી સારું આરોગ્ય અને માન-સન્માનનું આશીર્વાદ પ્રાપ્ત થાય છે. સાથે જ મા શૈલપુત્રીની પૂજા કરવાથી વ્યક્તિને ધન, ઐશ્વર્ય અને સૌભાગ્ય મળે છે
આ સિવાય કુંવારી કન્યાઓના લગ્નમાં આવી રહેલી મુશ્કેલીઓ પૂર્ણ થશે. માતા શૈલપુત્રીને સફેદ ફૂલ અતિપ્રિય છે. તેથી તેમની પૂજામાં સફેદ ફૂલનો ફરજીયાત ઉપયોગ કરવો જોઈએ. આ સિવાય તેમની પૂજામાં સફેદ રંગની મિઠાઈનો ભોગ લગાવવો જોઈએ. સફેદ બરફી અને દૂધમાંથી બનાવેલી શુદ્ધ મિઠાઈઓનો પણ ભોગ લગાવી શકો છો. આ સિવાય માતાને સફેદ વસ્ત્ર અર્પણ કરવુ વધુ લાભકારક રહેશે. આ ઉપરાંત મા શૈલપુત્રીના અમુક મંત્રોનો જાપ કરવાથી તેઓ જલ્દી પ્રસન્ન થાય છે.
આ મંત્રનો જાપ કરવો જોઈએ.
वन्दे वांछितलाभाय चन्द्रार्धकृतशेखरम्।
वृषारूढां शूलधरां शैलपुत्रीं यशस्विनीम्।।
पूणेन्दु निभां गौरी मूलाधार स्थितां प्रथम दुर्गा त्रिनेत्राम्॥
તમને જણાવી દઈએ કે મંત્રનો જાપ ઓછામાં ઓછા 11 વખત જાપ કરવાથી સારું આરોગ્ય, માન-સન્માન, ધન, ઐશ્વર્ય અને સૌભાગ્ય મળે છે.
આ રીતે કરો પૂજા વિધિ
1. મા શૈલપુત્રીની પૂજા કરતા પહેલા શુભ સમયે ઘટસ્થાપન કરો.
2. મા શૈલપુત્રીની પૂજામાં સફેદ રંગની વસ્તુનો ઉપયોગ કરો.
3. ઘરની પૂર્વ દિશામાં પૂજા કરવાની જગ્યા પર લાલ કપડું રાખીને મા દુર્ગાની ફોટો લગાવો.
4. મા શૈલપુત્રીને કુમકુમ, સફેદ ચંદન, સોપારી, સોપારી, હળદર, લવિંગ, નારિયેળ, સોળ શૃંગાર વસ્તુઓ અર્પણ કરો.
5. મા શૈલપુત્રીને મીઠાઈમાં રસગુલ્લાનો ભોગ લગાવો.
6. ધૂપ-અગરબત્તી સાથે મા દુર્ગાના મંત્રનો જાપ કરો.
મા શૈલપુત્રીની પૂજા કરવાથી મળતા લાભ
-મા શૈલપુત્રીની પૂજા કરવાથી વ્યક્તિના જીવનમાં સ્થિરતા આવે છે.
-મા શૈલપુત્રીને દેવી સતીનું સ્વરૂપ માનવામાં આવે છે.
-નવરાત્રિમાં માતા શૈલપુત્રીની પૂજાથી અવિવાહિત કન્યાઓને સુયોગ્ય વરની પ્રાપ્તિ થાય છે.