દરેક મનુષ્ય પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે મહેનતની સાથો સાથ ભગવાનની પૂજા-અર્ચના પણ કરે છે.તો ભારતીય શાસ્ત્રોમાં એવા કેટલાક મંત્રો આપવામાં આવેલ છે જેનું ઉચ્ચારણ કરવાથી માનવીની મનોકામના પૂર્ણ થાય છે. આવા જ કેટલાક મંત્રોચ્ચાર વિશે ઉજ્જૈનના એક જ્યોતિષાચાર્યના જણાવ્યા પ્રમાણે વહેલી સવારે ઉઠતાની સાથે જ ભગવાનનું નામ લેવામાં આવે તે અતિશય શુભ હોય છે. ઉલ્લેખનીય છે કે ભગવાન શ્રીકૃષ્ણના કેટલાક ખાસ મંત્રો આપવામાં આવેલ છે જેના જાપ કરવાથી ઉપાસક પર ભગવાન શ્રીકૃષ્ણની કૃપા અવિરત વરસતી રહે છે.
આપને જણાવી દઇએ કે ભગવાનનું સ્મરણ કરવા માટે કોઇ ચોક્કસ સમય નથી હોતો પરંતુ કોઇપણ સમયે ભગવાનનું સ્મરણ કરી શકાય છે. જો કે કેટલાક મંત્રોનું વહેલી સવારે પઠન કરવાથી ઉપાસકનો દિવસ ખુબ જ સારી રીતે પસાર થાય છે અને શુભફળની પ્રાપ્તિ થાય છે.
આ મંત્રોચ્ચાર કરવાથી ભક્તની તમામ પરેશાનીઓ દુર થાય છે અને મનોવાંચ્છિત ફળ મળે છે. તો અહીં આપવામાં આવેલ મંત્રોનો રોજ પાઠ કરવાથી ફાયદો થાય છે. પરંતુ આપને એક વાત જણાવી દઇએ કે આ મંત્રોનું સ્પષ્ટ ઉચ્ચારણ થાય તે વધુ અગત્યનું છે.