પંજાબ કોંગ્રેસમાં રાજકીય ડ્રામા સતત ચાલુ છે. પરંતુ આ દરમિયાન સમાચાર છે કે મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્ની આજે દિલ્હી આવશે.
ચરણજીત સિંહ ચન્ની બપોરે 12 વાગે તે ચંદીગઢથી રવાના થશે
ચન્ની ઉચ્ચ કમાનથી મુલાકત કરી શકે
સુનીલ જાખડનો સિધ્ધુ પર નિશાનો
ચરણજીત સિંહ ચન્ની બપોરે 12 વાગે તે ચંદીગઢથી રવાના થશે
આજે બપોરે 12 વાગે તે ચંદીગઢથી રવાના થશે. તેઓ 1 વાગે દિલ્હી પહોંચવાની શક્યતા છે. કહેવામાં આવી રહ્યું છે કે આ ઉચ્ચ કમાનથી મુલાકત કરી શકે છે. ઉલ્લેખનીય છે કે ગુરુવારે કોંગ્રેસ નેતા નવજોત સિંહ સિધ્ધૂ અને પંજાબના સીએમ ચરણજીત સિંહ ચન્નીની વચ્ચે લગભગ 2 કલાક સુધી બેઠક થઈ હતી. આ બેઠક બાદ ક્યાસ લગાવવામાં આવી રહ્યો છે કે સિધ્ધૂની નારાજગીને દૂર કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે.
ચન્ની ઉચ્ચ કમાનથી મુલાકત કરી શકે
મનાઈ રહ્યું છે કે પંજાબમાં હાજર વિવાદને ખતમ કરવા માટે કોંગ્રેસ હાઈ કમાન વધુ એક કમિટી ગઠિત કરશે. આ કમિટીમાં નવજોત સિધ્ધુ સીએમ ચરણજીત ચન્ની અને ઓબ્જર્વર હરીશ ચૌધરીના સભ્ય હોઈ શકે છે. ઉલ્લેખનીય છે કે આ જ અઠવાડિયે સિધ્ધુએ પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ પદમાંથી રાજીનામુ આપી દીધું છે. કહેવામાં આવી રહ્યું છે કે સિધ્ધુ પોતાની પસંદની ટીમ ઈચ્છે છે.
શું બેઠકમાં કોઈ સમાધાન નિકળ્યું છે?
સિધ્ધુ અને ચન્નીએ પંજાબ ભવનમાં બેઠક કરી હતી. પરંતુ આ બેઠકમાં શું થયું તેને લઈને કોઈ સત્તાવાર નિવેદન જારી નથી કરવામાં આવ્યું. પંજાબ ભવનથી ચન્ની સાંજે લગભગ 6 વાગે જ્યારે સિધ્ધુ તેના અડધા કલાક બાદ બહાર નિકળ્યા હતા. મનાઈ રહ્યું છે કે ચન્નીએ બુધવારે સિધ્ધુ સાથે વાત કરીને સમસ્યાઓને વાતચીતના માધ્યમથી ઉકેલવાની રજૂઆત કરી હતી.
સુનીલ જાખડનો સિધ્ધુ પર નિશાનો
આ દરમિયાન પાર્ટીના પૂર્વ પ્રદેશ અઘ્યક્ષ સુનિલ જાખડે ગુરુવારે કહ્યું કે પંજાબના મુખ્યમંત્રીના અધિકારને વારંવાર ઓછો કરવાના પ્રયાસને હવે ખતમ કરવો જોઈએ. જાખડે એમ પણ કહ્યું કે રાજ્યના મહાધિવક્તા અને રાજ્ય પોલીસ પ્રમુખની પસંદ પર લગાવવામાં આવી રહેલા આક્ષેપ હકિકતમાં મુખ્યમંત્રીની ઈમાનદારી પર સવાલ ઉઠાવી રહ્યા છે.