પ્રોવિડન્ટ ફંડ નિયમોમાં 1 એપ્રિલ, 2022થી બદલાવ થાવા જઈ રહ્યા છે, જેની સીધી અસર તમારા ખિસ્સા પર પડશે. જાણો આ ફેરફારો વિષે
પ્રોવિડન્ટ ફંડ નિયમોમાં 1 એપ્રિલ, 2022થી બદલાવ થાવા જઈ રહ્યા છે
ટેક્સની ગણના સરળ બનશે
GST: લાગૂ થશે નવી ઈ-ઇનવોયસ સિસ્ટમ
પ્રોવિડન્ટ ફંડ નિયમોમાં બદલાવ
પ્રોવિડન્ટ ફંડ નિયમોમાં 1 એપ્રિલ, 2022થી બદલાવ થાવા જઈ રહ્યા છે, જેની સીધી અસર તમારા ખિસ્સા પર પડશે. નવા વર્ષથી જો તમે પીએફ ખાતામાં 2.50 લાખ રૂપિયાથી વધારે રોકાણ કરો છો, તો તેના વ્યાજ પર ટેક્સ ચૂકવવો પડશે. ફાઈનાન્સ મિનિસ્ટર નિર્મલા સીતારમણે 2021-22માં બજેટમાં પીએફમાં 2.50 લાખ રૂપિયાથી વધારે રોકાણ પર ટેક્સ લગાવવાની ઘોષણા કરી હતી.
સીબીડીટીએ આ સંબંધે સૂચના પણ જાહેર કરી છે, જેની હેઠળ જો તમે એક વર્ષમાં પોતાના પીએફ ખાતામાં 2.50 લાખથી વધારે રોકાણ કરો છો રો તેના પર માળવાવાળા વ્યાજ પર ટેક્સ ચૂકવવો પડશે. સરકારી કર્મચારીઓ માટે આ સીમા 5 લાખ રૂપિયા છે. પીએફ ખાતામાં રોકાણ પર આયકર કાનૂનની ધારા 80 હેઠળ ટેક્સ છૂટ મળે છે.
ટેક્સની ગણના સરળ બનશે
જો કોઈ નોકરિયાટનાં પીએફ ખાટામાં દર વર્ષે રોકાણ 2.50 લાખ કરતા વધારે હશે, તો તેના બે અલગ-અલગ ખાટા ગણાશે. પહેલા પીએફ ખાતામાં 2.50 લાખ જમા થશે, જ્યારે તેનાંથી વધારે રાશિ બીજા ખાતામાં જમા થશે. આમ કરવાથી ગણના સરળ બનશે.
અમીરોની કમાણી પર લાગશે રોક
1 એપ્રિલથી લાગુ થનાર નિયમોની અસર 1.23 લાખ અમીરો પર પડશે. સરકારનું કહેવું છે કે લોકો અત્યાર સુધી એક વર્ષમાં સરેરાશે 50 લાખ રૂપિયાથી વધારે કમાણી વ્યાજથી કરી રહ્યા છે, જેનાં પર કોઈ ટેક્સ લાગતો નથી. નવા નિયમોથી તેમની કમાણી પર રોક લાગશે. અત્યાર સુધી પીએફ યોગદાન પર મળનાર વ્યાજ પર ટેક્સ લાગતો ન હતો.
GST: લાગૂ થશે નવી ઈ-ઇનવોયસ સિસ્ટમ
જીએસટી સંગ્રહ વધારવા તથા ટેક્સ ચોરી રોકવા માટે સરકાર સતત બદલાવો કરી રહી છે. 1 એપ્રિલથી ઈ-ઇનવોયસ પ્રણાલીમાં બદલાવો થઇ રહ્યા છે. બીઝનેસ ટૂ બીઝનેસ લેવડદેવડવાળી કંપનીઓ જેમનું વર્ષનું ટર્ન ઓવર 20 કરોડથી વધારે છે, તેમના માટે ઈ-ઇનવોયસ જરૂરી હશે.
1 ઓક્ટોબર, 2020નાં રોજ સરકારે 500 કરોડ સુધી ટર્નઓવરવાળી કંપનીઓ માટે આ જરૂરી કર્યું હતું. 1 જાન્યુઆરી, 2021નાં રોજ તેને ઘટાડીને 100 કરોડ કરવામાં આવ્યું. નવા વર્ષથી તેને ફરી બદલીને 50 કરોડ સુધીનું ટર્ન ઓવર નક્કી થયું.
પોસ્ટઓફિસ: ખાતું ખોલવું જરૂરી
જો તમે પોસ્ટઓફિસની નાની બચત યોજનાઓમાં રોકાણ કર્યું છે તો 1 એપ્રિલ, 2022થી તેના નિયમોમાં બદલાવ થવા જઈ રહ્યા છે. નવા નિયમો હેઠળ હવે ગ્રાહકોને ટાઇમ ડિપોઝીટ ખાતું, વરિષ્ઠ નાગરિક બચત યોજના તથા માસિક કમાણી અંગેની યોજનામાં રોકાણ કરવા માટે બચત ખાતું કે બેંક ખાતું ખોલવું જરૂરી છે.