100 વર્ષ સુધી નિરોગી રહેવા માટે સારું ખાવું, કસરત કરવી અને મનને શાંત અને પ્રફુલ્લિત રાખવું ખૂબ જ જરૂરી છે. આપણું જીવન જેટલું સાદું અને સરળ હશે આપણે એટલા જ રોગોથી બચીને રહી શકીશું. હેલ્ધી રહેવા માટે સારું અને પોષક તત્વોથી ભરપૂર ખોરાક ખાવો ખૂબ જ જરૂરી છે. પણ શું તમે જાણો છો કે જે રીતે ખાનપાનની ખરાબ આદતો અને આપણે કઈ વસ્તુઓનો ઉપયોગ કરી રહ્યાં છે તેની પર પણ ધ્યાન આપવું જરૂરી છે. અત્યારે ફાસ્ટ કૂકિંગ રૂટીન લાઈફનો ભાગ બની ગઈ છે. જેમાં ઘણી એવી વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે છે જે ધીરે-ધીરે આપણને રોગો તરફ ધકેલી રહી છે. તો જાણી લો તમારા રસોડામાં રહેલી એવી વસ્તુઓ વિશે જે તમારા સ્વાસ્થ્ય માટે ઝેર સમાન છે.
આ વસ્તુઓનો ઉપયોગ ભૂલથી પણ ન કરવો
અત્યારે મોટાભાગના લોકો ભોજનને લાંબા સમય સુધી ખરાબ થતાં બચાવવા માટે ફ્રિઝમાં મૂકી દે છે અને પછી તે વાસી ખોરાક ખાય છે. પણ શું તમે જાણો છો કે ફ્રિઝમાં રહેલી ફ્લોરો કાર્બન ગેસને કારણે ભોજન દૂષિત થઈ જાય છે અને તેનાથી શરીર પર ખરાબ અસર થાય છે.
કૂકરનો ઉપયોગ આજકાલ બધાંના ઘરમાં કરવામાં આવે છે. કારણ કે તેમાં હાઈ પ્રેશર પર ખોરાક પકાવવામાં આવે છે. જેના કારણે તેના ઘણાં પોષક તત્વો પણ નષ્ટ થઈ જાય છે. એવામાં ઘણી વસ્તુઓ ખાવાના ફાયદા મળતાં નથી.
એલ્યૂમિનિયમના વાસણોમાં ભોજન પકાવવું. તેનાથી તેમાં રહેલાં કેમિકલ ભોજનમાં ભળી જાય છે અને તે શરીરમાં જઈને ઘણાં ઘાતક રોગો ઉત્પન્ન કરી શકે છે. જેમ કે લીવર અને કિડનીની સમસ્યા અને કેન્સર સહિતના રોગો.
પ્લાસ્ટિકના વાસણો અને પાણીની બોટલોનો ઉપયોગ પણ વધી ગયો છે. જે બહુ જ ઘાતક છે. તેના કારણે કાર્સિનોજેનિક (કેન્સર કારક) તત્વો પેદા થાય છે.
આજકાલ લોકોના ઘરમાં માઈક્રોવેવ પણ હોય જ છે. પણ તેમાંથી નીકળતું રેડિએશન બહુ જ ઘાતક સાબિત થઈ શકે છે. સાથે જ તેમાં પકાવેલા અથવા ગરમ કરેલાં ભોજનના પોષક તત્વો સાવ ઓછાં થઈ જાય છે.
આજકાલ દરેકના ઘરમાં પ્રિઝર્વેટિવ્સ, પેકેજ્ડ અને રેડી ટૂ ઈટ વસ્તુઓ ખાવાનું ચલણ ખૂબ જ વધી ગયું છે. તેમાં રહેલાં કેમિકલ શરીર અને સ્વાસ્થ્યને બહુ જ ખરાબ અસર કરે છે. તેનાથી બીપીની પણ સમસ્યા વધે છે.
ખાંડનો વધુ પડતો ઉપયોગ પણ સ્વાસ્થ્ય માટે બહુ જ નુકસાનકારક છે. તેનાથી મેદસ્વિતા સહિત હાર્ટ ડિસીઝ, હાડકાંઓની સમસ્યા અને દાંતના પણ રોગો થઈ શકે છે. બહારના સ્વીટ્સ ખાવાથી પણ ઘણી સમસ્યાઓ જન્મ લે છે.
સામાન્ય લોટની જગ્યાએ રિફાઈન્ડ લોટનો ઉપયોગ વધતાં કે શરીરને નુકસાન પહોંચાડે છે. તેમાં પોષક તત્નોમી કમી હોવાથી ફાયદા મળતાં નથી. કબજિયાત અને સ્થૂળતા જેવી સમસ્યાઓ પણ વધે છે.