ક્રેડિટ તથા ડેબિટ કાર્ડથી જોડાયેલા નિયમ 16 માર્ચ એટલે કે આજથી બદલાઇ ગયા છે. નવા નિયમથી કાર્ડ વધારે સુરક્ષિત અને સુવિધાજનક બનાવવા માટે લાવ્યા છે. જોકે તેના કેટલાક ફાયદા અને નુકસાન છે.
આજથી એટલે કે 16 માર્ચથી બદલાઇ ગયા ક્રેડિટ-ડેબિટ કાર્ડને લગતા નિયમો
આ કાર્ડને સુરક્ષિત બનાવવા માટે રિઝર્વ બેંક લીધા આ પગલા
હવે આ કાર્ડ પર માત્ર ઘરેલૂ ટ્રાન્ઝેક્શનની સુવિધા જાતે જ મળશે
આ પ્રકારની સેવાઓ માટે ગ્રાહકોને અરજી કરવી પડશે
ભારતીય રિઝર્વ બેંક એ ડેબિટ તથા ક્રેડિટ કાર્ડથી થનારા ટ્રાન્ઝેક્શનને વધારે સરળ બનાવવા અને પહેલાથી વધારે સુરક્ષિત કરવાના ઉદ્દેશ્યથી કાર્ડને ઇશ્યૂ-રિઇશ્યૂ કરવાના નવા નિયમો જારી કર્યા છે, જેને લઇને રિઝર્વ બેંક તરફથી 15 જાન્યુઆરી નોટિફિકેશન જારી કરવામાં આવ્યુ છે. આ નવા નિયમો પ્રીપેડ ગિફ્ટ કાર્ડ્સ અને મેટ્રો કાર્ડ પર લાગૂ પડે.
જો કાર્ડથી ક્યારેય ઓનલાઈન ટ્રાન્ઝેક્શન ન કર્યું હોય તો આ સેવા કાલથી બંધ
- કોઈ પણ ડેબિટ-ક્રેડિટ કાર્ડનો એટીએમ, પોઈન્ટ ઓફ સેલ ટર્મિનલ પર, ઓનલાઈન ટ્રાન્ઝેક્શન તેમજ કોન્ટેક્ટલેસ અને ઈન્ટરનેશનલ ટ્રાન્ઝેશક્શન માટે ઉપયોગ થઈ શકે.
- હવે ડેબિટ-ક્રેડિટ કાર્ડમાં ફક્ત એટીએમ અને પોઈન્ટ ઓફ સેલ ટર્મિનલ પર ઉપયોગ કરવાની સુવિધા મળશે. તમારે ઓનલાઈન, કોન્ટેક્ટલેસ કે ઈન્ટરનેશનલ ટ્રાન્ઝેક્શનની સેવા જોઈતી હોય તો તમારા કાર્ડ પર તે ચાલુ કરાવવી પડશે.
- આ સેવા કાર્ડની સાથે જ ગ્રાહકોને મળી જાય છે, પરંતુ હવે ગ્રાહક માગશે તો જ શરૂ થશે.
- ગ્રાહકો કોઈ પણ સેવા 24x7 મોબાઈલ એપ્લિકેશન, ઈન્ટરનેટ બેંકિંગ, એટીએમ કે ઈન્ટરએક્ટિવ વોઈસ રિસ્પોન્સ થકી શરૂ કરાવી શકશે. આ સાથે સ્વિચ ઓન કે સ્વિચ ઓફ પણ કરી શકશે.
- ગ્રાહકો તેના થકી કાર્ડ ટ્રાન્ઝેક્શનની લિમિટ પણ નક્કી કરી શકશે અને તે બદલી પણ શકશે.
- તમે તમારા હાલના કાર્ડથી અત્યાર સુધી ઓનલાઈન, કોન્ટેક્ટલેસ અને ઈન્ટરનેશનલ ટ્રાન્ઝેક્શન નથી કર્યું, તો આ કાર્ડ પર આ તમામ સેવા 16 માર્ચથી બંધ થશે.
- રિઝર્વ બેંકે તમામ બેંકોને કહ્યું છે કે, તેઓ મોબાઈલ એપ, લિમિટ મોડિફાય કરવાના નવા બેંકિંગ વિકલ્પો અને ઈનેબલ-ડિસેબલ સેવા અઠવાડિયાના સાતેય દિવસ, 24 કલાક ઉપલબ્ધ કરાવે. બેંકની બ્રાંચ અને એટીએમ પર પણ આ વિકલ્પો મળવા જોઈએ.
- કાર્ડના સ્ટેટસમાં જ્યારે પણ ફેરફાર થશે, બેંક SMS/ઈ-મેઈલ થકી ગ્રાહકોને અલર્ટ/સૂચના/સ્ટેટસ મોકલશે.