આવતા મહિને એટલે કે ઓક્ટોબરમાં ઘણા નવા ફેરફારો થવાના છે.
સપ્ટેમ્બર બાદ બંધ થઈ જશે આ સર્વિસ
1 ઓક્ટોમ્બરથી નહીં ચાલે જુની ચેકબૂક
જાણો બીજા કયા ફેરફાર થશે
દર મહિનાની પહેલી તારીખે દેશમાં અમુક નવા નિયમો લાગુ થાય છે. ઓક્ટેબરમાં પણ એવું થવા જઈ રહ્યું છે. 1 ઓક્ટોમ્બરથી જીવન જરૂરીયાતની ઘણી વસ્તુઓ બદલાઈ (changes from 1st October) જવાની છે. આ ફેરફારનો સંબંધ ખાસથી લઈને સામાન્ય માણસના જીવન પર પડશે. તેમાં બેન્કિંગ, LPG સહિત ઘણા ફેરફાર શામેલ છે. આવો જાણીએ શું છે ફેરફાર થવાના છે જેની સીધી અસર તમારા ખિસ્સા પર પડશે.
1 ઓક્ટોમ્બરથી નહીં ચાલે જુની ચેકબૂક
1 ઓક્ટોમ્બરથી ત્રણ બેન્કોની ચેકબુક અને MICR કોર્ડ ઈનવેલિડ થઈ જશે. આ બેન્ક છે ઓોરિએન્ટલ બેન્ક ઓફ કોમર્સ (OBC), યુનાઈટેડ બેન્ક ઓફ ઈન્ડિયા (United Bank of India) અને ઈલાહાબાદ બેન્ક (Allahabad Bank). જણાવી દઈએ કે આ બેન્ક એ છે જેનું હાલમાં જ બીજી બેન્કો સાથે મર્જર થયું છે. બેન્કોના મર્જર થવાથી એકાઉન્ટ હોલ્ડરને એકાઉન્ટ નંબરો, આઈએફએસસી અને એમઆઈસીઆર કોડમાં ફેરફાર થવાના કારણે 1 ઓક્ટોબર 2021થી બેન્કિંગ સિસ્ટમ જુના ચેકને રિજેક્ટ કરી દેશે. આ બેન્કોની દરેક ચેકબુક અમાન્ય થઈ જશે.
પાન કાર્ડ થઈ જશે બેકાર
1 ઓક્ટોબરથી આધાર અને પર્મનેન્ટ એકાઉન્ટ નંબર એટલે કે પાન કાર્ડ (PAN Card) બેકાર થઈ જશે. હકીકતે પાન નંબરને આધાર નંબર સાથે લિંક કરાવવાની ડેડલાઈન 30 સપ્ટેમ્બર 2021 સુધી છે. જો આ સમયગાળા દરમિયાન કોઈએ પોતાના પાનને આધાર સાથે લિંક નથી કરાવ્યું તો તેના પાન કાર્ડને 1 ઓક્ટોબર 2021થી ડીએક્ટિવેટ કરી દેવામાં આવશે. જણાવી દઈએ કે જો તમારૂ પાન કાર્ડ એક વખત બંધ થઈ ગયું તો ફરી તેને એક્ટિવેટ કરાવવા માટે તમારે દંડ ભરવો પડે છે.