1 ઓગસ્ટથી તમારા જીવનથી જોડાયેલા કેટલાક નિયમો બદલાઈ જવાના છે. જેની સીધી અસર તમારા ખિસ્સા અને ઘરના બજેટ પર પડશે. તો ચાલો જાણી લો આ નિયમો વિશે.
1 ઓગસ્ટથી આ નિયમોમાં આવશે ફેરફાર
રસોઈ ગેસ, બેંક સહિતના નિયમો બદલાશે
આ નિયમોથી તમારા ખિસ્સા પર પડશે અસર
1 ઓગસ્ટથી ICICI બેંકના આ નિયમ બદલાઈ જશે
દેશની સૌથી મોટી પ્રાઈવેટ બેંક 1 ઓગસ્ટથી કેટલાક મોટા ફેરફાર કરવા જઈ રહી છે. 1 ઓગસ્ટથી બેંકના એટીએમમાંથી કેશ ઉપાડવા માટે ચાર્જ ચૂકવવો પડશે. સાથે જ ચેકબુકના નિયમોમાં પણ ફેરફાર થવાનો છે. ICICI બેંક ગ્રાહકોને 4 ફ્રી ટ્રાન્ઝેક્શન આપે છે. 4વાર પૈસા ઉપાડ્યા બાદ તમારે ચાર્જ ચૂકવવો પડશે. તમને જણાવી દઈએ કે, એસબીઆઈ બેંકે 1 જુલાઈથી આવા જ નિયમોમાં બદલાવ કર્યા છે. ચાલો જાણીએ.
ઓગસ્ટથી આઈસીઆઈસીઆઈ બેંકના ગ્રાહકો તેમની હોમ શાખામાંથી 1 લાખ રૂપિયા સુધીની રકમ ઉપાડી શકે છે.
આના કરતા વધારે રકમ હોય તો દર 1000 દીઠ 5 રૂપિયા ચૂકવવા પડશે.
હોમ શાખા સિવાયની અન્ય શાખાઓમાંથી પૈસા ઉપાડવા માટે દરરોજ 25,000 રૂપિયા સુધીની કેશ ઉપાડ માટે કોઈ ચાર્જ નથી.
તે પછી 1000 રૂપિયા ઉપાડવા માટે 5 રૂપિયા ચૂકવવા પડશે.
ચેક બુક પર આટલો ચાર્જ લેવામાં આવશે
25 પેજ ચેક બુક મફત હશે.
આ પછી તમારે અતિરિક્ત ચેક બુક માટે 10 પાના દીઠ 20 રૂપિયા ચૂકવવા પડશે.
1 ઓગસ્ટથી બેંક હોલિડે પર મળશે સેલરી
2021થી રવિવાર હોય કે અન્ય કોઈ બેંક રજા હોય તો પણ તમારા પગાર, પેન્શન, ડિવિડન્ડ અને વ્યાજની ચુકવણી અટકાશે નહીં, એટલે કે પગાર અને પેન્શનની ચુકવણી નિયત તારીખે કરવામાં આવશે. હકીકતમાં ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઈ)એ જાહેરાત કરી છે કે રાષ્ટ્રીય ઓટોમેટેડ ક્લિયરિંગ હાઉસ (NACH) અઠવાડિયાના સાત દિવસ ઉપલબ્ધ રહેશે. પગાર, પેન્શન, વ્યાજ, ડિવિડન્ડ વગેરેની ચુકવણી નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (એનપીસીઆઇ) દ્વારા સંચાલિત NACH દ્વારા કરવામાં આવે છે. 1 ઓગસ્ટથી Nachની સુવિધા 7 દિવસ 24 કલાક મળવાથી કંપનીઓ ગમે ત્યારે સેલરી ટ્રાન્સફર કરી શકે છે.
ગેસ સિલિન્ડરની નવી કિંમતો જારી થશે
1 ઓગસ્ટથી એલપીજી સિલિન્ડરના ભાવમાં ફેરફાર કરવામાં આવશે. ઘરેલૂ એલપીજી અને કોમર્શિયલ સિલિન્ડરના નવા ભાવ દર મહિનાની પ્રથમ તારીખે નક્કી કરવામાં આવે છે.