એવું કહેવામાં આવે છે કે લગ્ન બાદ છોકરીઓની જીવનશૈલી અને સમગ્ર લાઇફ બદલાઇ જાય છે. પરંતુ આ ઉપરાંત પુરુષોની પણ લાઇફ લગ્ન બાદ બદલાઇ જાય છે. લગ્ન બાદ એમની પર ઘણા પ્રકારની જવાબદારીઓ હોય છે એમના સ્વભાવમાં પણ ફેરફાર થવા લાગે છે. પહેલા જે છોકરાઓ સમજ્યા-વિચાર્યા વગર પૈસા ખર્ચ કરતા હતા, લગ્ન બાદ એ કોઇ પણ ચીજને ખરીદવા માટે વિચારવા લાગે છે. તમને જણાવીએ કે લગ્ન બાદ પુરુષોમાં કેવા પ્રકારના બદલાવ આવવા લાગે છે.
લગ્ન બાદ પુરુષ વધારે જવાબદાર થઇ જાય છે. કારણ કે સંબંધ નિભાવવા ખૂબ જ જવાબદારી વાળા હોય છે. કારણ કે થોડી ભૂલ લાઇફમાં દરાર ઊભી કરી દે છે. એમને જાતે ને જાતે જવાબદારીઓનો અહેસાસ થવા લાગે છે. જ્યારે લગ્ન પહેલા એ ખૂબ લાપરવાહી કરી છે.
એવુ કહેવામાં આવે છે કે એકલું રહેવું પુરુષો માટે સૌથી મોટું સુખ હોય છે.કારણ કે એ દરમિયાન એ જીવનના સુખદ ક્ષણોના એકલા માલિક હોય છે. એ પોતાના કામમાં કોઇ પણની દખલગીરી પસંદ કરતા નથી. પરંતુ લગ્ન બાદ એ નાની નાની ખુશીઓ અને ચીજ પરિવાર અને પત્ની સાથે શેર કરે છે.
લગ્ન પહેલા પુરુષોને પોતાની જ સંભાળ હોતી નથી પરંતુ લગ્ન બાદ એ તમામ લોકો માટે કેરિંગ નેચર અપનાવે છે.
લગ્ન પહેલા પુરુષો ખૂબ મસ્તી કરે છે, નાઇટઆઉટ કરે છે અને મિત્રો સાથે મોડા સુધી ફરે છે. પરંતુ લગ્ન બાદ એને પોતાના આ સુખનો ત્યાગ કરવો પડે છે.