જો તમે ઘણા બધા સીમ કાર્ડ રાખો છો તો આ ખબર તમારા માટે છે.
ટેલિકોમ વિભાગે જાહેર કર્યો નવા નિયમો
ધ્યાન નહીં રાખો તો બંધ થઈ જશે સિમકાર્ડ
જાણો ફેરફારો વિશે
ટેલિકોમ વિભાગની (DoT) તરફથી બુધવારે એક નવો નિયમ જાહેર કરવામાં આવ્યો છે. જેમાં વધારે સિમ ખરીદવાની છૂટ પર પૂર્ણવિરામ મુકવામાં આવ્યું છે. ટેલિકોમ વિભાગના નવા નિયમો અનુસાર, હવે 9થી વધારે સિમ રાખનાર યુઝર્સને સિમ કાર્ડનું વેરિફિકેશન કરાવવું જરૂરી થઈ ગયું છે.
જો આ સિમ કાર્ડ વેરિફાઈ નહીં થાય તો તેને બંધ કરી દેવામાં આવશે. જણાવી દઈએ કે જમ્મુ-કાશ્મીર અને નોર્થ ઈસ્ટના રાજ્યો માટે આ સંખ્યા છ જ છે. ટેલિકોમ ડિપાર્ટમેન્ટે ટેલિકોમ કંપનીઓને આ દરેક મોબાઈલ નંબરને ડેટાબેસથી હટાવવા માટે કહ્યું છે જે નિયમ અનુસાર ઉપયોગમાં નથી.
જાણો શું છે DoTનો આદેશ
ટેલિકોમ ડિપાર્ટમેન્ટની તરફથી જાહેર કરવામાં આવેલા આદેશમાં કહેવામાં આવ્યું છે કે ગ્રાહકોની પાસે અનુમતિ કરતા વધારે સિમ કાર્ડ મળી આવવાની સ્થિતિમાં તેમને પોતાના મરજીનું સિમ ચાલુ રાખવા અને બાકીને બંધ કરવાનો વિકલ્પ આપવામાં આવશે. પરંતુ તેની લિમિટ 9થી વધારે નહીં હોય.
ટેલિકોમ ડિપાર્ટમેન્ટે જણાવ્યું કે ડિપાર્ટમેન્ટ દ્વારા કરવામાં આવેલા સર્વે વખતે જો કોઈ ગ્રાહકની પાસે દરેક કંપનીઓના સિમ કાર્ડ નક્કી કરેલી લિમિટ કરતા વધારે મળી આવશે તો તેના દરેક સિમને ફરીથી વેરિફાઈ કરવામાં આવશે. ટેલિકોમ ડિપાર્ટમેન્ટે આ પગલું નાણાકીય ક્રાઈમ, આપત્તિજનક કોલ, સ્વચાલિત કોલ અને છેતરપિંડીની ઘટનાઓની તપાસ કરવાના હેતુથી ભર્યું છે.
30 દિવસમાં સિમ બંધ કરવાના આદેશ
DoTએ દરેક ટેલિકોમ ઓપરેટર્સને આદેશ આપ્યા છે કે જે યુઝર્સની પાસે 9થી વધારે સિમ કાર્ડ છે. તેમને નોટિફિકેશન મોકવામાં આવશે, આવા દરેક સિમ કાર્ડની આઉટગોઈંગ કોલને 30 દિવસની અંદર બંધ કરી દેવામાં આવશે. જ્યારે ઈનકમિંગ કોલને 45 દિવસની અંદર બંધ કરવાના આદેશ આપવામાં આવ્યા છે. જોકે મોબાઈલ સિમ યુઝર્સની પાસે એક્સ્ટ્રા સિમને સરેન્ડર કરવાનો પણ ઓપ્શન રહેશે.