રાજ્યમાં લોકસભાના મહાપર્વને હવે માત્ર થોડાક કલાકો બાકી રહ્યા છે. ગુજરાતની 26 બેઠકો પર સમગ્ર દેશની નજર છે કારણ કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમિત શાહનું હોમ ટાઉન છે. ત્યારે જોઇએ રાજકારણનો રસાકસી ભર્યો આ અહેવાલ.
ગુજરાતને બીજેપીનો ગઢ માનવામાં આવે છે, પરંતું આ ચૂંટણીમાં ગુજરાતના ચૂંટણી પરીણામ પર સમગ્ર દેશની નજર રહેશે. કારણ કે, આ રાજ્ય નરેન્દ્ર મોદી અને અમિત શાહનું ગૃહ રાજ્ય છે. અહીં કોંગ્રેસનુ પણ વરચસ્વ છે. જો બીજેપીની ગણતરીની બેઠકો જો કોંગ્રેસ મેળવે તો બીજેપી માટે તે શરમજનક છે.
ગુજરાતમાં હંમેશા ભાજપનું પ્રભુત્વ
ગુજરાતમાં હમેંશાથી ભાજપ પ્રભુત્વ ધરાવે છે. 1998માં ભાજપને 26 બેઠકોમાંથી 19 મળી, જ્યારે 1999માં 20 બેઠકો જીતી, વર્ષ 2002માં ગોધરાકાંડ બાદ ભાજપે 2004માં 14 બેઠકો મેળવી અને કોંગ્રેસે 12 બેઠકો મેળવી. 2009માં સીમાચિહ્ન બાદ કોઈ તફાવત નહોતો અને ભાજપને 15 બેઠકો મળી હતી. વિધાનસભાની ચૂંટણીઓમાં મોદી જીતી રહ્યા હતા. 2014માં ચાલેલ મોદી લહેરમાં કૉંગ્રેસને હાંકી કાઢવામાં આવી હતી અને ભાજપને તમામ 25 બેઠક મળી હતી.
2017ની વિધાનસભા ચૂંટણીની અસર
ભાજપ સમગ્ર દેશમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નામે વોટ માગે છે. સ્થાનિક ઉમેદવારનું નામ કે ચહેરાનું મહત્વ રખાતું નથી, પરંતુ ગુજરાતમાં 2017ની વિધાનસભા ચૂંટણીની અસર પડી રહી છે. મતદારો ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં ગંભીર મુદ્દાઓ ઉભા કરે છે. ભાજપે વિધાનસભાની ચૂંટણીમાં માત્ર થોડા જ અંતરે જીત મેળવી હતી.
શહેરી વિસ્તારમાં મજબૂત, ગ્રામીણ વિસ્તારમાં ટક્કર
સમગ્ર રાજ્યમાં શહેરી વિસ્તારમાં ભાજપાની મજબૂત પકડ છે. ગાંધીનગર, અમવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં બીજેપી પોતાની જીતને લઇને નિશ્ચિત છે, પરંતું સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને આદિવાસી વિસ્તારમાં બીજેપીને હારની ચિંતા છે.
કોંગ્રેસને પાંચથી સાત સીટો પર જીતવાનો ભરોસો
ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, પાટણ અને સાબરકાંઠામાં કોંગ્રેસ બીજેપીને ટક્કર આપી શકે છે. જ્યારે મહેસાણામાં બીજેપી અને કોંગ્રેસ વચ્ચે રસાકસીનો ખેસ જામશે. જ્યારે મધ્ય ગુજરાતમાં આણંદમાં ભારતસિંહ સોલંકી મજબૂત સ્થિતિમાં છે.
મહેસાણામાં હાર્દિકનો મજબૂત પ્રભાવ
2015-16માં મહેસાણામાં પટેલો અસંતુષ્ટ હતા. પટેલો અસંતોષ પહેલા ભાજપના ટેકેદાર હતા, પરંતુ હવે તેમના મત દૂર થઇ શકે છે. નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલ આ પ્રદેશમાંથી આવે છે, પરંતુ હાર્દિક પટેલનો આ વિસ્તારમાં મજબૂત પ્રભાવ છે અને હવે તે કોંગ્રેસમાં જોડાયો છે. એ જ રીતે, ઉત્તર ગુજરાતના ઠાકોરોના મત બંને પક્ષોમાં વિભાજિત થયા છે. સૌરાષ્ટ્રમાં, અમરેલીએ કૉંગ્રેસને થોડી આશા આપી છે, જ્યારે જુનાગઢને હરીફાઈ જામી શકે છે.
ખેડૂતો નારાજ, પાણી સૌથી મોટો મુદ્દો
રાજ્યના ગ્રામીણ વિસ્તારોના લોકો તેમની સમસ્યાઓ ઉકેલવા માટે વધુ ગંભીર છે. સોરાષ્ટ્ર અને છોટા ઉદેપુરમાં પાણીની મોટી સમસ્યા છે, જ્યારે ડીએપી અને યુરિયાના ભાવ અને ઉપજની સાચી કિંમત જેવા અનેક મુદ્દા ખેડૂતોની સૌથી મોટી ચિંતા છે. વળતર અને પાક વીમા દાવાઓના સમાધાનમાં તકલીફોથી ગ્રામિણ વિસ્તારના મતદારો બીજેપીથી થોડા નારાજ દેખાઇ રહ્યા છે. જોકે આદિવાસીઓના મત હમેંશા બંને બાજુ વેચાય છે, પરંતુ આ ચૂંટણીઓમાં છોટા ઉદેપુર, પંચમહાલ અને ડાંગ જિલ્લામાં સિંચાઇ માટે પાણીની તંગીની લોકોને ફરિયાદ છે.