વાસી ખોરાક લેવાથી તમારે ઘણા પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે, જાણો વાસી ખોરાકથી થતા નુકસાનો
શું તમે પણ વાસી ખોરાક લો છો?
થઈ જાઓ સાવધાન, થશે નુકસાન
આ આદતને આજે જ સુધારી લો
પોતાની આળસમાં મોટાભાગના લોકો વાસી ખોરાક લેવા માંડે છે કે એમ કહીએ કે સમય બચાવવા માટે એક દિવસનું જમવાનું પહેલા જ બનાવી લે છે, પરંતુ જણાવી દઈએ કે તમે આ ખોરાક લઈને તમારા સ્વાસ્થ્ય સાથે રમી રહ્યા છો. કેમકે આવો ખોરાક લેવાથી તમારે ઘણા પ્રકારની મુશ્કલીઓનો સામનો કરવો પડી શકે છે. ભલે આવું કરવાથી ખોરાકનો સ્વાદ ખરાબ ન થાય, પરંતુ તેનાથી થવાવાળા નુકસાન તમને મોટી બીમારીઓ તરફ ધકેલી રહ્યા છે. તો ચાલો જાણીએ કે કેવી રીતે વાસી ખોરાકથી તમારું સ્વાસ્થ્ય બગડી શકે છે.
વાસી ખોરાકમાં નષ્ટ થઇ જાય છે પોષક તત્વો
જણાવી દઈએ કે સૌથી પહેલા તો વાસી ખોરાકમાં પોષક તત્વો નષ્ટ થઇ જાય છે, કેમકે જેટલો ફ્રેશ ખોરાક, તેટલા જ વધારે પોષક તત્વો. એટલા માટે પ્રયત્ન કરો કે તાજો ખોરાક જ લઇ શકાય.
ફૂડ પોઇઝનિંગની તકલીફ
આ ઉપરાંત ફૂડ પોઇઝનિંગની તકલીફ પન્ન પેદા થઇ શકે છે. અસલમાં, ખોરાક બનાવ્યાના બે કલાકની અંદર જ જે ખાદ્યપદાર્થોને ફ્રિઝમાં ન રાખવામાં આવે, તેમાં બેક્ટેરિયા થવા લાગે છે, જેથી ફૂડ પોઇઝનિંગની સમસ્યા પેદા થઇ શકે છે. માનવામાં આવે છે કે 4 ડીગ્રીથી 40 ડીગ્રી સુધીનું તાપમાન હાનીકારક બેક્ટેરિયાના વિકાસ માટે અનુકૂળ હોય છે.
કબજીયાતની તકલીફ
કબજીયાતની તકલીફ પણ વાસી ખોરાક લેવાથી થાય છે. માનવામાં આવે છે કે વધેલા ભોજનમાં પેદા થયેલા બેક્ટેરિયા વ્યક્તિ માટે અપચો તથા પાચન સંબંધી સમસ્યાઓનું કારણ બની શકે છે. આ બેક્ટેરિયા ભોજનને ફેર્મેંટેડ કરીને આગળ પાચનની પ્રક્રિયાને પ્રભાવિત કરે છે.