ભારતીય રેલની ઉત્તર રેલવે દ્વારા 18 ટ્રેનોના અપ-ડાઉનના સ્ટશનોમાં બદલાવ કર્યો હોવાના અહેવાલો પ્રાપ્ત થઇ રહ્યા છે. આ સ્ટેશનોના ફેરફારમાં ખાસ કરીને દિલ્હીના આનંદ વિહાર સરાય રોહિલ્લા અને નિઝામુદ્દીનથી ચાલવા વાળી ટ્રેનોના સ્ટેશનમાં બદલાવ લાગૂ કરવામાં આવ્યો છે જેનો અમલ 21 મેથી જ થશે. જો કે યાત્રીકોને આ બદલાવ બદલ કોઇ તકલીફ ઉભી ના થાય તે માટે ઉત્તર રેલવે દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે આ બદલાવની સત્તાવાર જાહેરાત ઉત્તર રેલવેના એક ઉચ્ચ અધિકારી દ્વારા જાહેર માધ્યમોને જાણકારી આપી હતી. જેમાં દિલ્હીના કેટલાક સ્ટેશનો સિવાયના કુલ 18 રેલવે સ્ટેશનોમાં ફેરફાર કરવામાં આવ્યા છે.
આપને જણાવી દઇએ કે જો ટ્રેનોના સ્ટેશનમાં બદલાવ કરવામાં આવ્યો છે જેમાં જબલપુર-નવી દિલ્હી સુપરફાસ્ટ.અજમેર-હજરત નિઝામુદ્દિન આમેર જન શતાબ્દી એક્સપ્રેસ ચેન્નઇ-દિલ્હી સરાય રોહિલ્લા ગ્રેંડ ટૈંક એક્સપ્રેસ.દહેરાદૂન-દિલ્હી સરાય રોહિલ્લા મસૂરી એક્સપ્રેસ પૂરી-નવી દિલ્હી નંદન કનન એક્સપ્રેસ પુરી-નવી દિલ્હી નીલાચલ એક્સપ્રેસ અને રાંચી નવી દિલ્હી ઝારખંડ એસ.કે એક્સપ્રેસનો સમાવેશ કરવામાં આવેલ છે.