નવરાત્રી દરમિયાન બનાસકાંઠાના અંબાજી મંદિરમાં દર્શન અને આરતીના સમયમા બદલાવ કરવામાં આવ્યો છે.
અંબાજી મંદિરમાં દર્શન અને આરતીના સમયમાં ફેરફાર
નવરાત્રી નિમિત્તે મંદિર તંત્રએ મોટો નિર્ણય લીધો
ભક્તોની સગવડાતાને ધ્યાનમાં રાખી બદલાવ કરાયો
આધ્યાશક્તિ માં અંબાની આરાધનાના પર્વ નવરાત્રી પર્વને આડે હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે નવરાત્રી દરમિયાન જગવિખ્યાત અંબાજી મંદિરમાં દર્શન અને આરતીના સમયમા બદલાવ કરવામાં આવ્યો છે. આગામી એકમથી આરતી સવારે 7.30 થી 8.00 વાગ્યા સુધી અને સાંજે 6.30 થી 7 વાગ્યા સુધી કરવામાં આવશે.
માઈ ભક્તોની સગવડાતાને પગલે લેવાયો નિર્ણય
નવરાત્રીમાં શક્તિ આરાધનાને લઈને ભક્તોમાં અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે. ત્યારે આ દરમિયાન બનાસકાંઠામાં આવેલા માં અંબાજીના મંદિરમાં નવરાત્રીના દિવસો દરમિયાન માં અંબાના ધામમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડી માતાજીના દર્શન કરતા હોય છે ત્યારે ભક્તોની ભીડને ધ્યાને લઇને મંદિરમાં આરતીના સમયમાં અને દર્શન સમયમાં ભક્તોની સગવડાતાને ધ્યાનમાં રાખી બદલાવ કરાયો છે. લોકોને મુશ્કેલી ન પડે તે માટે મંદિર તંત્રએ મોટો નિર્ણય લીધો છે. એકમથી સવારે 7.30 થી 8.00 વાગ્યા સુધી અને સાંજે 6.30 થી 7 વાગ્યા સુધી આરતી થશે. જ્યારે દર્શન સવારે 8.00 થી 11.30 કલાક સુધી અને સાંજે 7 વાગ્યાથી રાત્રે 9.00 વાગ્યા સુધી કરી શકાશે. વધુમાં બપોરે દર્શન માટે 12.30 થી 4.15 વાગ્યા સુધી મંદિર ખુલ્લુ રહેશે. તો આસો સુદ એકમને સવારે 9 થી 10.30 સુધી ઘટ સ્થાપન વિધિ કરવામાં આવશે.
નવરાત્રીમાં અંબાજી મંદિરમાં દર્શન અને આરતીના સમયમાં ફેરફાર
એકમથી સવારે 7.30 થી 8.00 વાગ્યા સુધી આરતી થશે
સાંજે 6.30 થી 7 વાગ્યા સુધી આરતી થશે
દર્શન સવારે 8.00 થી 11.30 કલાક સુધી કરી શકાશે
બપોરે દર્શન માટે 12.30 થી 4.15 વાગ્યા સુધી મંદિર ખુલ્લુ રહેશે
સાંજે 7 વાગ્યાથી રાત્રે 9.00 વાગ્યા સુધી દર્શન કરી શકાશે
બપોરે 12.00 વાગ્યે માં અંબાને રાજભોગ ધરાવાશે
આસો સુદ એકમને સવારે 9 થી 10.30 સુધી ઘટ સ્થાપન વિધિ થશે