અરબ સાગરમાં ઉઠેલા વાવાઝોડું વાયુ ગુજરાત તથા મહારાષ્ટ્ર તરફ આગળ વધી રહ્યું છે. જેન પગલે ગુજરાતમાં આજરોજ સવારથી જ વાદળ છાયું વાતાવરણ જોવા મળ્યું હતું. તો વળી રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પણ પડ્યો હતો. ત્યારે તાજેતરમાં હવામાન વિભાગના જણાવ્યા મુજબ 'વાયુ' વાવાઝોડાએ આંશિક દિશા બદલી છે.