UIDAI આવતા વર્ષે એપ્રિલ મહિનાથી એક નવી સેવા શરૂ કરશે. જેની મદદથી તમે સરળતાથી તમારા આધારકાર્ડમાં તમારા એડ્રેસમાં ફેરફાર કરી શકશો.
આ નવા નિયમથી તે લોકોને મદદ મળશે જેમની પાસે લોકલ રેસિડેન્ટ પ્રૂફ નથી હોતું. આધાર ધારકને એક સિક્રેટ પિન નંબરવાળા પત્રની મદદથી એડ્રેસ ચેન્જ કરાવવામાં સરળતા થશે.
UIDAIએ જાહેર કરેલા નોટિફિકેશનમાં જણાવાયું છે કે 1 એપ્રિલથી આ સેવા શરૂ કરાશે. જે લોકો પાસે જે-તે સ્થળે રહેતા હોય ત્યાંનું રેસિડેન્સ પ્રૂફ ન હોય તેઓ સિક્રેટ પિન ધરાવતા આધાર લેટર દ્વારા એડ્રેસ વેરિફિકેશન માટે રિક્વેસ્ટ મોકલી શકે છે. આ સિક્રેટ પિનની મદદથી SSUPના ઓનલાઈન પોર્ટલ પર આધારકાર્ડમાં એડ્રેસ ચેન્જ કરી શકાય છે.
આ નવી સિસ્ટમ અંતર્ગત આધારકાર્ડ ધારક સિક્રેટ પિનવાળો આધાર લેટર UIDAIની વેબસાઈટ પરથી મેળવી શકે છે. જે પ્રકારે બેંક કે ક્રેડિટ કાર્ડ કંપનીઓ ડેબિટ કે ક્રેડિટ કાર્ડ એક્ટિવેટ કરાવવા માટેનો પિન એક લેટરમાં ગ્રાહકોને આપે છે તે જ પ્રકારે આ સિક્રેટ પિન લેવાનો હોય છે.
જણાવી દઈએ કે આ સુવિધાથી એ લોકોને લાભ થશે જે ભાડાના ઘરમાં રહે છે અથવા તો નોકરીમાં એક સ્થળેથી બીજે સ્થળે ટ્રાન્સફર થતી રહે છે. UIDAIના નોટિફિકેશમાં જણાવાયું છે કે આ નવી સર્વિસ પ્રાયોગિક ધોરણે 1 જાન્યુઆરી 2019થી શરૂ કરવામાં આવશે. અને 1 એપ્રિલ 2019થી આ સેવા શરૂ થશે.