ISRO એ આ મહિનાની શરૂઆતમાં પોતાના મહત્વકાંક્ષી મૂન મિશન, ચંદ્રયાન-2 એ ચંદ્ર પર લેન્ડિંગ દરમિયાન વિક્રમ લેન્ડરની સાથે સંપર્ક ખોરવાતા દેશભરમાંથી મળેલા સમર્થનને લઇને આભાર વ્યક્ત કર્યો છે.
ISRO એ ભારતીયોનો આભાર માન્યો
ISRO એ ટ્વીટ કરીને કહ્યુ કે, 'દુનિયાભારના ભારતીયોને આશાઓ અને સપનાઓના દમ પર સતત આગળ વધી રહ્યા છીએ'
ISRO એ પોતાનાૉ ઑફિશ્યલ ટ્વિટર એકાઉન્ટ પરથી ટ્વીટ કરીને કહ્યુ કે, ''અમારો સાથ આપવા માટે દેશનો આભાર. અમે દુનિયાભારના ભારતીયોને આશાઓ અને સપનાઓના દમ પર સતત આગળ વધી રહ્યા છીએ.'' નોંધનીય છે, ચંદ્રયાન- 2 મિશનના લોન્ચિંગના 47માં દિવસે વિક્રમ ચંદ્રની ધરતી પર ઉતરવાનું હતુ, પણ 2.1 કિમી અંતર પહેલા જ તેનો સંપર્ક તૂટી ગયો હતો.
Thank you for standing by us. We will continue to keep going forward — propelled by the hopes and dreams of Indians across the world! pic.twitter.com/vPgEWcwvIa
ચંદ્રયાન-2એ પોતાના 47 દિવસની યાત્રા દરમિયાન ઘણી મુશ્કેલીઓ પાર કરી હતી અને તેણે વિક્રમ લેન્ડરની મદદથી રોવર પ્રજ્ઞાનને ચંદ્રની ધરતી પર ઉતાર્યુ હતુ. આ પ્રક્રિયામાં વિક્રમને ચંદ્રની ધરતી પર સોફ્ટ લેન્ડિંગ કરવાનું હતુ અને તેની ગતિ અનિયંત્રિત થવાથી હાર્ડ લેન્ડિંગ થયું. પછી ચંદ્રયાન-2 ઓર્બિટરે ચંદ્રની ધરતી પર આડા પડેલા વિક્રમ લેન્ડરની તસવીર મોકલી જેમાં ફરી સંપર્કની કોશિશો કરાઇ, પરંતુ સફળતા ના મળી. આ રીતે ચંદ્રયાન-2ને રોવ પ્રજ્ઞાન દ્વારા ચંદ્રની ધરતીની માહિતીને એકઠી કરવામાં અડચણ થઇ, પણ ISRO ની સાથે-સાથે દુનિયાભરની અંતરિક્ષ એજન્સી અને વૈજ્ઞાનિકોએ કહ્યુ કે, ''ચંદ્રયાન-2 મિશન પોતાના લક્ષ્યને પાર કરવામાં 95% સફળ થયું છે''
જોકે ભારત સિવાય વિદેશોમાં પણ ઐતિહાસિક મૂન લેન્ડિંગ પ્રયત્નના વખાણ કરવામાં આવ્યા છે. PM મોદીએ ISRO ના નિયંત્રણ કક્ષમાં હતા, જ્યારે ISRO નો વિક્રમ લેન્ડરથી સંપર્ક તૂટી ગયો હતો, સંપર્ક તૂટી ગયા પછી PM મોદીએ ISROના વૈજ્ઞાનિકને સંબોધિત કરતા કહ્યુ કે, ''હું તમારી સાથે છું અને આખો ભારત દેશ તમારી સાથે છે.'' આ સિવાય જ્યારે PM નરેન્દ્ર મોદી બેંગ્લોરના સ્પેસ સેન્ટરમાંથી બહાર નીકળી રહ્યા હતા ત્યારે ISRO અધ્યક્ષ સિવન તેમને ભેટી પડ્યા અને ભાવુક થઇ ગયા, ત્યારે PM મોદીએ તેમને પ્રોત્સાહન આપ્યુ.