આજે ચંદ્રયાન-2નું લોન્ચિંગ થવા જઇ રહ્યું છે. જેનું રિહર્સલ ઇસરોએ પૂર્ણ કરી દીધું છે. અને બપોરે 2.43 કલાકે શ્રીહરિકોટાના સતીષ ધવન સ્પેસ સેન્ટર ખાતેથી લોન્ચ થશે. ત્યારે ઇસરોની કામગીરીને બિરદાવવા માટે સુરતમાં ખાસ રંગોળીથી ચંદ્રયાન-2ને તૈયાર કરાયું હતું. હિના નાયક અને અંજલી સાલુંકે દ્વારા 24 કલાકની મહેનત બાદ ચંદ્રયાન-2ની રંગોળી તૈયાર કરવામાં આવી છે.