ચંદ્રની સપાટી પર વિક્રમ લેન્ડરના પડી જવાથી ISRO હજુ નિરાશ થયું નથી. જો કે આ વાત અલગ છે કે વિક્રમ લેન્ડર પોતાના નક્કી કરેલા સ્થાન પરથી અંદાજે 500 મીટર દૂર ચંદ્રની જમીન પર પડી ગયું છે પરંતુ જો તેની સાથે સંપર્ક થઇ જશે તો તે ફરી પોતાના પગ પર ઉભુ થઇ શકે છે.
સંચાર સ્થાપિત થશે તો ફરી ઉભુ થઇ શકે છે વિક્રમ લેન્ડર
જો ઉભુ થઇ જશે તો રોવર પણ બહાર આવી શકશે
ISROના વિશ્વસનીય સૂત્રો મુજબ ચંદ્રયાન-2ના વિક્રમ લેન્ડરમાં એવી ટેકનોલોજી છે જે પડી ગયા બાદ પણ ઉભુ થઇ શકે છે. પરંતુ તેના માટે જરૂરી છે કે તેની કોમ્યુનિકેશન સિસ્ટમ સાથે સંપર્ક થવો જોઇએ અને તે ઇસરો દ્વારા મોકલવામાં આવેલા કમ્પ્યૂટર કમાન્ડને રિસીવ કરી શકે.
વિક્રમ લેન્ડરમાં ઓનબોર્ડ કમ્યૂટર છે. તે જાતે જ ઘણા કામ કરી શકે છે. વિક્રમ લેન્ડરના પડી ગયા બાદ તેનું એન્ટીના દબાઇ ગયું છે જેના દ્વારા કમ્મૂનિકેશન સિસ્ટમને કમાન્ડ મોકલી શકાતા હતા. અત્યારે ઇસરોના વૈજ્ઞાનિકો એ પ્રયત્ન કરી રહ્યાં છે કે કોઇપણ રીતે એ એન્ટીના દ્વારા વિક્રમ લેન્ડરને ફરી પોતાના પગ પર ઉભું કરવાનો કમાન્ડ આપી શકે.
આ રીતે થઇ શકે છે વિક્રમ લેન્ડર પોતાના પગે ઉભુ
ઇસરોના સૂત્રો દ્વારા મળતી જાણકારી મુજબ વિક્રમ લેન્ડરની નીચેની તરફ પાંચ થ્રસ્ટર્સ લગાવામાં આવ્યાં છે. જેને લઇને તેને ચંદ્રની સપાટી પર સોફ્ટ લેન્ડિગ કરવાનું હતું. વિક્રમ લેન્ડરની ચારે બાજુ થ્રસ્ટર્સ લાગેલા છે, જે અંતરિક્ષ યાત્રા દરમિયાન તેની દિશા નક્કી કરવા માટે ઓન કરવામાં આવતા હતા.
આ થ્રસ્ટર્સ હજુ પણ સુરક્ષિત છે. લેન્ડરનો જે ભાગમાં કોમ્યુનિકેશન એન્ટિના દબાયેલું છે ,તે ભાગમાં જ થ્રસ્ટર્સ છે. જો પૃથ્વી સ્થિત ગ્રાઉન્ડ સ્ટેશનતી મોકલવામાં આવેલા કમાન્ડ સીધી રીતે અથવા ઓર્બિટર દ્વારા દબાયેલા એન્ટિનાએ રિસીવ કરી લીધા તો તેના થ્રસ્ટર્સને ઓન કરી શકાય છે. થ્રસ્ટર્સ ઓન થવા પર વિક્રમ એક રીતે ફરી પોતાના પગ પર ઉભુ થઇ શકે છે.
11 દિવસ છે વિક્રમને ફરી પોતાનાપગ પર ઉભું કરવા માટે
ISROના પ્રમુખ કે. સિવને રવિવારે કહ્યું હતું કે ઇસરોની ટીમ લેન્ડર વિક્રમ સાથે કમ્યુનિકેશન સ્થાપિત કરવાનો સતત પ્રયત્ન કરી રહ્યું છે અને જલ્દી જ સંપર્ક સ્થાપિત થઇ જશે. વૈજ્ઞાનિકોનો જણાવ્યા અનુસાર વિક્રમ કરવા માટે 12 દિવસ છે. એક અનુમા મુજબ ઇસરો પાસે વિક્રમ સાથે સંપર્ક કરવા માટે 12 દિવસ છે.
જેનું મુખ્ય કારણ છે હાલમાં લૂનર ડે ચાલી રહ્યું છે. એક લૂનર ડે પૃથ્વીના 14 દિવસ બરાબર હોય છે. જેમાં બે દિવસ પસાર થઇ ગયા છે. જેના કારણે 12 દિવસ સુધી ચંદ્ર પર દિવસ રહેશે. ત્યારબાદ ચંદ્ર પર રાત થઇ જશે, જે પૃથ્વીના 14 દિવસની બરાબર હોય છે. રાતે વિક્રમ લેન્ડર સાથે સંપર્ક કરવામાં મુશ્કેલી પડી શકે છે.