ઇસરોના વૈજ્ઞાનિકે નામ ન જણાવવાની શરતે જણાવ્યું છે કે મિશનનો માત્ર પાંચ ટકા લેન્ડર વિક્રમ અને પ્રજ્ઞાન રોવરને નુકસાન પહોંચ્યું છે, જ્યારે 95 ટકા ચંદ્રયાન-2, ઓર્બિટર હાલમાં પણ ચંદ્રમાનું સફળતાપૂર્વક ચક્કર કાપી રહ્યું છે. એટલે ચિંતા ના કરો, વિક્રમ લેન્ડર ગમે ત્યારે ફરી સંપર્કમાં આવી શકે છે.
એક વર્ષના મિશનના સમયગાળાવાળું ઓર્બિટર ચંદ્રની કેટલીક તસવીરો ઇસરો (ISRO)ને મોકલી શકે છે. વૈજ્ઞાનિકના જણાવ્યા અનુસાર ઓર્બિટર લેન્ડર ફોટાઓ લઇને મોકલી પણ શકે છે, જેને લઇને તેની સ્થિતિ અંગે જાણકારી મળી શકે છે.
શું મિશન ચંદ્રયાન-2 સંપૂર્ણ રીતે નિષ્ફળ ગયું છે? શું ભારત ઇતિહાસ રચવાથી માત્ર 2.1 કીમી દૂર રહી ગયું? બધુ સામાન્ય રીતે ચાલી રહ્યું હતું, ઇસરોની આખી ટીમની નજર કમ્પ્યૂટર પર હતી, લેન્ડર વિક્રમ સોફ્ટ લેન્ડિંગની તૈયારીમાં હતું.
ત્યારે જ અચાનક સન્નાટો છવાઇ ગયો હ તો. ઇસરોના પ્રમુખ કે. સિવને જ્યારે પીએમ મોદીને મળીને કાંઇક કહ્યું અને અહેવાલ આવ્યાં કે મિશન ચંદ્રયાન નિષ્ફળ થઇ ગયું. પીએમ મોદીએ ઇસરોના વૈજ્ઞાનિકોને સાંત્વના આપતા કહ્યું કે, જીવનમાં ઉતાર-ચઢાવ આવતા રહે છે.
જો કે જે માહિતી મળી તે મુજબ વિક્રમ લેન્ડર ઇસરો સાથે સંપર્ક વિહોણું બની ગયું. ઇસરોના જણાવ્યા મુજબ ચંદ્રની સપાટીથી 2.1 કીમીની ઉંચાઇએ પહોંચતા સંપર્ક તુટી ગયો હતો. જો કે ઇસરો દ્વારા હાલ ડેટાનું વિશ્લેષણ કરવામાં આવી રહ્યું છે.
જો કે વિશેષજ્ઞોના જણાવ્યા અનુસાર હજી આ મિશનને અસફળ ન ગણાવી શકાય તેમ જણાવ્યું છે. લેન્ડર સાથે પુનઃ સંપર્ક સ્થાપિત થઇ શકે છે. વિશેષજ્ઞોના જણાવ્યા અનુસાર લેન્ડર નિષ્ફળ રહે તો પણ ચંદ્રયાન-2નું ઓર્બિટર એકદમ સામાન્ય છે તે ચંદ્રની સતત પરિક્રમા કરી રહ્યું છે.
ઐતિહાસિક ચંદ્રયાન-2 મિશનમાં વિક્રમ લેન્ડર સાથેથી મોડી રાતે સંપર્ક તુટતા ISRO સહિત સમગ્ર દેશમાં હતાશા ફેલાઈ હતી. ત્યારે પ્રધાનમંત્રી મોદીએ બેંગલુરૂના ISRO સેન્ટર પરથી વહેલી સવારે 8 વાગ્યે રાષ્ટ્રજોગ સંબોધન આપ્યું હતું.
મોદીએ કહ્યું મિત્રો ચંદ્રયાન-2 મિશનમાં ભલે અડચણો આવી પણ આપણી હિંમત ઓછી નથી થઈ. આ સાથે ISROના વૈજ્ઞાનિકોની હિંમત વધારતાં કહ્યું ‘વયંમ અમૃતસ્ય પુત્રાઃ’ આપણે તો અમૃત પુત્રો છીએ આપણે અટકવાનું ન હોય.