ISROના વૈજ્ઞાનિકોએ આજે એટલે કે 4 સપ્ટેમ્બરે સવારે 3.42 મિનિટે વિક્રમ લેન્ડરને ચંદ્રની સૌથી નજીકની કક્ષામાં પહોંચાડ્યું છે. 45 કલાક બાદ વિક્રમ ચંદ્રના દક્ષિણી ઘ્રૂવ પર ઉતરશે. હાલમાં તે ચંદ્રથી 35 કિમી દૂર છે.
ઈસરોએ જણાવ્યું કે ચંદ્રયાનને ભારતીય સમય અનુસાર સવારે 8.50 વાગે નીચલી કક્ષામાં પૂર્વ નિર્ધારિત યોજનાના આધારે ઉતારવામાં આવ્યું. આ પ્રક્રિયા કુલ 4 સેકંડની રહી હતી. ચંદ્રયાન -2 ઓર્બિટર ચંદ્રની કક્ષામાં સતત આંટા મારતું રહ્યું અને ઓર્બિટર અને લેન્ડર સંપૂર્ણ રીતે કામ કરી રહ્યા છે.
4 સપ્ટેમ્બરે ભારતીય સમયઅનુસાર સવારે 3.30 મિનિટથી લઈને 4.30 મિનીટની વચ્ચે તેની કક્ષામાં ઘટાડો કરવામાં આવ્યો. સોમવારે લેન્ડર વિક્રમ ઓર્બિટરથી સફળતાપૂર્વક અલગ થયું હતું. જો બધું ઠીક રહેશે તો વિક્રમ અને તેની સાથેનું પ્રજ્ઞાન રોવર પણ શનિવારે મોડી રાતે 1.30 મિનિટથી 2.30 મિનિટની વચ્ચે ચંદ્રની કક્ષા પર ઉતરવાની આશા છે.
ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગ બાદ રોવર તે દિવસે સવારે 3.30 મિનિટથી લઈને 6.30 મિનિટની વચ્ચે નીકળશે અને ચંદ્રની સીમા પર રહીને પરીક્ષણ કરશે.
#ISRO
The second de-orbiting maneuver for #Chandrayaan spacecraft was performed successfully today (September 04, 2019) beginning at 0342 hrs IST.
ઈસરોના આધારે પ્રજ્ઞાન એક ચંદ્ર દિવસ એટલે કે પૃથ્વીના 14 દિવસો બરાબર ચંદ્રની કક્ષાનું પરીક્ષણ કરશે. લેન્ડરનું મિશન એક ચંદ્ર દિવસ હશે. જ્યારે ઓર્બિટર એક વર્ષ સુધી કામ કરશે. ઈસરોના અધ્યક્ષ કે. સિવને કહ્યું કે ચંદ્ર પર લેન્ડરના ઉતરવાની ક્ષણ ખતરનાક હશે. કેમકે એજન્સીએ પહેલાં ક્યારેય આવું કર્યું નથી. જ્યારે ચંદ્રયાન -1 મિશનમાં યાનને નીચલી કક્ષામાં લઈ જવાનં કામ પહેલાં જ સફળતાપૂર્વક કરી દેવામાં આવ્યું હતું.
ભારત બનશે ચોથો દેશ
ચંદ્ર પર સફળતાપૂર્વક લેન્ડિંગની સાથે ભારત આમ કરનારો દુનિયાનો ચોથો મોટો દેશ બનશે. તેની પહેલાં ફક્ત ચીન, અમેરિકા અને રૂસ જ આ કરી શક્યા હતા. ભારતે 22 જુલાઈએ 3840 કિલોના વજનનું ચંદ્રયાન-2ને જીએસએલવી મૈક-3 રોકેટથી પ્રક્ષેપિત કર્યું. આ યોજના પર કુલ 978 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે.