સમગ્ર દેશવાસીઓ સોમવારની વહેલી સવારે 2.51 થવાની આતુરતા પૂર્વક રાહ જોઇ રહ્યા હતા ત્યારે એક કલાક પહેલા જ ચંદ્રયાન-2 નું લોન્ચિંગ ટળ્યું હોવાના સમાચાર પ્રાપ્ત થયા હતા. લોન્ચિંગ જોવા આવેલ લોકો પણ નિરાશ થયાં હતા. જો કે ઇસરોની સક્રિયતા અને સમયસર નિર્ણયના ચોતરફ ભરપૂર વખાણ થયા હતા.
56 મિનિટ 24 સેકન્ડસ્ પહેલાં રોકી દેવાયું લોન્ચિગ
15 જૂલાઇએ રવાના થવાનું હતું પરંતુ છેલ્લી ઘડીએ આ મિશન અટક્યું હતું. રવિવારે મોડી રાત્રે 2.51 કલાકે લોન્ચ થવાનું હતું તે ચંદ્રયાનનું લોન્ચિંગ 56 મિનિટ 24 સેકન્ડસ્ પહેલાં રોકી દેવામાં આવ્યું હતું. આ લોન્ચિંગ ટેક્નિકલ ખામીને કારણે રોકી દેવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે. હવે ઈસરો આગામી તારીખ ટૂંક સમયમાં જાહેર કરશે તેવી જાહેરાત પણ કરવામાં આવી છે.
સ્પેસ વૈજ્ઞાનિકોએ શું કહ્યુ ?
ISRO ની આવડત અને સક્રિયતાની વૈજ્ઞાનિકો પણ પ્રશંસા કરી રહ્યા છે. સોમવારે, ઘણા અવકાશ વૈજ્ઞાનિકોએ કહ્યું હતું કે, ઉતાવળમાં મિશનને સંકટમાં મુકવા કરતા ભારતે પોતાના બીજા મિશન ચંદ્રયાન-2 ને અટકાવ્યું અને તેના માટે સ્પેસ એજન્સીની પ્રશંસા કરવી જોઈએ. આ મિશન અત્યાર સુધીમાં ઇસરોનું સૌથી જટિલ અને પ્રતિષ્ઠિત મિશન માનવામાં આવે છે.
ખામી અંગે સત્તાવાર કરાઇ જાહેરાત
A technical snag was observed in launch vehicle system at 1 hour before the launch. As a measure of abundant precaution, #Chandrayaan2 launch has been called off for today. Revised launch date will be announced later.
લોન્ચિંગ ટાળવાની સત્તાવાર જાહેરાત ISRO ના એસોસિયેટ ડાયરેક્ટર (પીઆર) બીઆર ગુરપ્રસાદે શ્રીહરિકોટામાં કહ્યું- લોન્ચ વ્હીકલ સિસ્ટમમાં 56 મિનિટ પહેલા એક ખામી હોવાનું ખુલ્યું હતું. જેના કારણે આ મિશનને અટકાવવામાં આવ્યું હતું. જો કે, તેમણે ખામી શું સર્જાઇ તે અંગે જણાવ્યું નહોતું.
શું છે ચંદ્રયાન-2 ની ખાસિયત
ચંદ્રયાન-2 મિશન હેઠળ ચંદ્રની સપાટી પર એક રોવરને ઉતારવામાં આવશે, જે અત્યાધુનિક ઉપકરણોથી સજ્જ હશે. રોવર ચંદ્રની માટીનું વિશ્લેષણક કરશે અને તેમાં મિનરલ્સ સાથે હિલિયમ-2 ગેસની સંભવાના પણ તપાસશે, જે ભવિષ્યમાં ઊર્જાનો સંભવિત સ્ત્રોત હોઈ શકે છે.
ચંદ્રયાન-2 પર કુલ 14 પેલોડ હશે, જેમાં 13 ભારતના અને એક નાસાનો પેલોડ હશે. ઓર્બિટર પર 8, લેન્ડર પર 4 અને રોવર પર 2 પેલોડ હશે.અમેરિકી સ્પેસ એજન્સી નાસાનું એકમાત્ર પેલોડ લેન્ડર પર હશે.