ચંદ્રયાન-2નું સતિષ ધવન સ્પેશ રિસર્ચ સેન્ટર, શ્રીહરિકોટાથી સફળ લોન્ચિંગ કરાયું છે. ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇજેશન (ISRO)એ અંતરિક્ષની દુનિયામાં વિશ્વમાં ઈતિહાસ સર્જ્યો છે. અત્યાર સુધીમાં ચંદ્ર પર પહોંચવામાં માત્ર 4 દેશને જ સફળતાં મળી જેમાં ભારત સામેલ છે.
ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન (ISRO)નું બીજી મૂન મિશન Chandrayaan-2 સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવ્યું. ચંદ્રયાન-2ને 22 જુલાઇએ બપોરે 2.43 વાગ્યે દેશના સૌથી શક્તિશાળી રોકેટ GSLV-MK3થી લોન્ચ કરવામાં આવ્યું. હવે ચંદ્રના દક્ષિણી ધ્રુવ સુધી પહોંચવા માટે ચંદ્રયાન-2ની 48 દિવસની યાત્રા શરૂ થઇ ગઇ છે. લગભગ 16.23 મિનિટ બાદ ચંદ્રયાન-2 પૃથ્વીથી લગભગ 182 કિમીની ઉંચાઇ પર જીએસએલવી-એમકે 3 રોકેટથી અલગ થઇને પૃથ્વીની કક્ષામાં ચક્કર લગાવવાનું શરૂ કરશે.
ચંદ્રયાન-2ના 48 દિવસની યાત્રાના અલગ-અલગ પડાવ
ચંદ્રયાન-2 અંતરિક્ષ યાન 22 જુલાઇથી લઇને 13 ઓગસ્ટ સુધી પૃથ્વીના ચારેય તરફ ચક્કર લગાવશે. તેના બાદ 13 ઓગસ્ટથી 19 ઓગસ્ટ સુધી ચાંદની તરફ જતા લાંબી કક્ષામાં યાત્રા કરશે. 19 ઓગસ્ટે જ તે યંદ્રની કક્ષામાં પહોંચશે. તેના બાદ 13 દિવસ એટલે કે 31 ઓગસ્ટ સુધી તે ચંદ્રની ચારેય તરફ ચક્કર લગાવશે.
ત્યારબાદ 1 સપ્ટેમ્બરે વિક્રમ લેન્ડર ઓર્બિટરથી અલગ થઇ જશે અને ચંદ્રના દક્ષિણી ધ્રુવની તરફ યાત્રા શરૂ કરશે. 5 દિવસની યાત્રા બાદ 6 સપ્ટેમ્બરે વિક્રમ લેન્ડર ચંદ્રના દક્ષિણી ધ્રુવ પર લેન્ડ કરશે. લેન્ડિંગના લગભગ 4 કલાક બાદ રોવર પ્રજ્ઞાન લેન્ડરથી નીકળીને ચંદ્રની સપાટી પર પ્રયોગ માટે ઉતરશે.
પૃથ્વીની ચારેય તરફ અંડાકાર ચક્કરમાં બદલાવ, અપોજીમાં 60.4 કિમીનું અંતર
ચંદ્રયાન-2 લોન્ચિંગ બાદ પૃથ્વીની ચારેય તરફ અંડાકાર કક્ષામાં ચક્કર લગાવશે. તેની પેરિજી (પૃથ્વીથી સૌથી નજીકનું અંતર) 170 કિમી અને એપોજી (પૃથ્વીથી સૌથી વધુ અંતર) 39120 કિમી હશે.
આ મિશનનો હેતુ
ચંદ્રયાન-2 લેન્ડર વિક્રમ જ્યા ઉતરશે એ જગ્યા પર તે તપાસ કરશે કે ચંદ્ર પર ભૂકંપ આવે છે કે નહીં. ત્યાં થર્મલ અને લૂનર જેનસિટી કેટલી છે. રોવર ચંદ્રની સપાટીની રાસાયણિક તપાસ કરશે. તાપમાન અને વાતાવરણમાં હ્યુમિડિટી છે કે નહીં તેની તપાસ કરશે. ચંદ્ર પર પાણી હોવાના પૂરાવા તો ચંદ્રયાન-1 એ શોધી કાઢ્યા હતા પરંતુ ચંદ્રયાન 2થી એ જાણવા મળશે કે ચંદ્રની સપાટી અને ઉપસપાટીના કેટલા ભાગમાં પાણી છે.
નવેમ્બર 2007માં રશિયા અંતરિક્ષ એજન્સી રોસકોસમોસે કહ્યું હતું કે તે આ પ્રોજેક્ટમાં સાથે કામ કરશે. તે ઇસરોને લેન્ડર આપશે. 2008માં આ મિશનને સરકારની અનુમતિ મળી. 2009માં ચંદ્રયાન-2ની ડિજાઇન તૈયાર કરવામાં આવી. જાન્યુઆરી 2013માં લોન્ચિંગ નક્કી હતું. જોકે, રશિયન અંતરિક્ષ એજન્સી રોસકોસમોસ લેન્ડર ન આપી શકી. ઇસરોએ ચંદ્રયાન-2ની લોન્ચિંગ માર્ચ 2018માં નક્કી કરી હતી. પરંતુ કેટલાક ટેસ્ટ માચે લોન્ચિંગને એપ્રિલ 2018 અને ફરિ ઓક્ટોબર 2018 સુધી ટાળવામાં આવી.
જૂન 2018માં ઇસરોએ નિર્ણય લીધો કે કેટલાક બદલાવ સાથે ચંદ્રયાન-2ની લોન્ચિંગ 2019માં કરવામાં આવશે. આ સફળતાથી સ્પષ્ટ છે કે ભારતના વૈજ્ઞાનિક કોઇના આધિન નથી. એ કોઇ પણ મિશન પૂર્ણ કરી શકે છે. આ પહેલા અમેરિકા, રશિયા અને ચીન ચંદ્ર પર લેન્ડર અને રોવર ઉતારી ચૂક્યા છે.