ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન (ઇસરો)ના મહત્વાકાંક્ષી મિશન ચંદ્રયાન-2ના લોન્ચિંગમાં હવે માત્ર એક સપ્તાહનો સમય બાકી છે. ચંદ્રયાન-2ને જિયોસિન્ક્રોનસ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ (જીએસએલવી) એમકે-3 રોકેટથી અંતરિક્ષમાં મોકલવામાં આવશે. આ માટે રવિવારે શ્રી હરિકોટના લોન્ચ પેડ પર જીએેસએલવી માર્ક 3ને સ્થાપિત કરવામાં આવશે.
ઇસરોના અધ્યક્ષ ડોક્ટર સિવને ઇન્ડિયન ઇન્સ્ટીટ્યૂટ ઓફ સ્પેસ સાઇન્સ એન્ડ ટેક્નોલોજી (IIST) ના સાતમાં દીક્ષાંત સમારોહમાં કહ્યું કે ચંદ્રયાન-2 પ્રક્ષેપણ યાન સાથે એકીકૃત કરી દેવામાં આવ્યો છે. જેને રવિવારે લોન્ચ પેડ પર લઇ જવામાં આવશે.
એમણે કહ્યું કે ચંદ્રયાન-2ને 15 જુલાઇએ લોન્ચિંગ માટે તૈયાર કરવામાં આવ્યું છે. મિશનની સફળતાને સુનિશ્ચિત કરવા માટે ઓપરેશનલ તૈયારીઓની તપાસ 13 જુલાઇએ કરવામાં આવશે. અત્યાર સુધીમાં તમામ પ્રક્રિયા અમારી બનાવેલી યોજના અનુસાર ચાલી રહી છે.
કે સિવને કહ્યું કે, 'ચંદ્રયાન-2 દ્વારા ઇસરો ચંદ્રમાંના દક્ષિણી ધ્રુવ પર જઇ રહ્યું છે જ્યાં આજ સુધી કોઇ પહોંચી શક્યું નથી. જો અમે તે જોખિમ લઇએ છીએ તો વૈશ્વિક વૈજ્ઞાનિક સમુદાયને લાભ થશે. જોખમ અને લાભ જોડાયેલા છે.