ભારતનું બીજું મૂન મિશન ચંદ્રયાન-2 આવનારી 7 સપ્ટેમ્બર 2019નાં રોજ ચંદ્ર પર ઉતરશે. દેશને માટે તે એક ગૌરવનું ક્ષણ રહેશે. આ ઐતિહાસિક પળોનાં આપ સાક્ષી પણ બની શકો છો. ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન (ઇસરો) આપને આ સૌથી ઉત્તમ મોકો આપી રહ્યો છે. જ્યારે આપ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સાથે ચંદ્ર પર ચંદ્રયાન-2ની લાઇવ લેન્ડિંગ જોઇ શકશો.
હવે સવાલ કેવાં છે? કેવી રીતે આપ આ મોકાને મેળવી શકો છો અને તેનાં માટે આપે શું કરવાનું રહેશે? કોણે આ મોકો આપવામાં આવશે? આ તમામ સવાલોનાં જવાબ અમે આપણે જણાવવા જઇ રહ્યાં છીએ.
હકીકતમાં ઇસરોએ એક ઓનલાઇન ક્વિઝની (Quiz) શરૂઆત કરી છે. આ ખાસ રીતે સ્કૂલનાં વિદ્યાર્થીઓ માટે છે. આનો ઉદ્દેશ્ય સ્કૂલનાં બાળકોની વચ્ચે અંતરિક્ષ કાર્યક્રમોથી સંબંધિત જાગરૂકતા વધારવાનું છે. આ ક્વિઝ પ્રતિયોગિતાનું નામ છે - 'સ્પેસ ક્વિઝ ચંદ્રયાન-2'.
ઇસરો (ISRO) આ સ્પેસ ક્વિઝનું આયોજન MyGov.in નાં સહયોગથી કરી રહ્યું છે. આ ક્વિઝમાં ભાગ લેવા માટે આપે આવેદન કરવાનું રહેશે. સારી બાબત એ છે કે ઇસરોએ આવેદનની તારીખ આગળ વધારી છે. પરંતુ તે માટેની અંતિમ તારીખ આજે જ છે. એટલે કે આ ક્વિઝમાં ભાગ લેવા માટે આપ 25 ઓગસ્ટનાં આજ સાંજ સુધી આવેદન કરી શકો છો.
આ સંબંધમાં સેન્ટ્રલ બોર્ડ ઑફ સેકંડ્રી એજ્યુકેશન (સીબીએસઇ) એ પોતાની સંબંધિત સ્કૂલોને નોટિસ પણ રજૂ કરી છે. આ અનુસાર, 'દરેક રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશથી 8માંથી 9માં ધોરણનાં ટૉપ સ્કોર કરનારા બે વિદ્યાર્થીઓને પસંદ કરવામાં આવશે. આ વિદ્યાર્થીઓને ઇસરોનાં બેંગલુરૂ સેન્ટર પર આમંત્રિત કરવામાં આવશે. ત્યાં તેઓ પ્રધાનમંત્રીની સાથે ચંદ્રમા પર ચંદ્રયાન-2ની લાઇવ લેન્ડિંગ જોઇ શકશે.'
કોની પસંદગી કરાશે વિજેતા તરીકે?
આ ક્વિઝમાં જે સૌથી વધારે સાચા જવાબ આપશે, તેને વિજેતા તરીકે પસંદ કરવામાં આવશે. જો ટાઇ થશો તો તે વિદ્યાર્થી વિજેતા બનશે કે જેઓએ સૌથી ઓછાં સમયમાં વધારે સાચા જવાબ આપ્યાં હોય.