ભારતનું મહાત્વાકાંક્ષી મૂન મિશન ચંદ્રયાન શુક્રવારે મોડી રાતે ચંદ્રથી માંડ 2 કિલોમીટરના અંતરે આવીને ખોવાઈ ગયું. ચંદ્રની કક્ષાની તરફ આગળ વધેલું વિક્રમ લેન્ડર ચંદ્રથી 2.1 કિલોમીટર પહેલાંથી સંપર્ક ખોવી ચૂક્યું હતું. જો કે આશા હજુ સુધી ખતમ થઈ નથી. હવે બધી જવાબદારી ઓર્બિટર પર છે.
ઉલ્લેખનીય છે કે ચંદ્રયાન 2ના ત્રણ ભાગ હતા. પહેલું ઓર્બિટર, બીજું લેન્ડર વિક્રમ અને ત્રીજું પ્રજ્ઞાન રોવર. જો કે લેન્ડર રોવરનો સંપર્ક ભલે તૂટી ચૂક્યો હયો પણ ઓર્બિટર પાસેથી હજુ પણ આશા છે. લેન્ડર રોવરને 2 સપ્ટેમ્બરે ઓર્બિટરથી અલગ કરી દેવામાં આવ્યું હતું. ઓર્બિટર હાલમાં ચંદ્રથી લગભગ 100 કિલોમીટર ઊંચી કક્ષામાં ચક્કર લગાવી રહ્યું છે. આ મિશનના ઘટનાક્રમને વિસ્તારથી જાણો.
12 જૂન- ઈસરોના અધ્યક્ષ કે, સિવને જાહેર કર્યું કે ચંદ્ર પર જવા માટે ભારતના બીજા મિશન ચંદ્રયાન2ને 15 જુલાઈએ પ્રક્ષેપિત કરવામાં આવશે.
29 જૂન - દરેક પરીક્ષણ બાદ રોવરને લેન્ડર વિક્રમથી જોડવામાં આવ્યું.
29 જૂન - લેન્ડર વિક્રમને ઓર્બિટર સાથે જોડવામાં આવ્યું.
4 જુલાઈ - ચંદ્રયાન 2ને પ્રક્ષેપણ યાન (જીએસએલવી એમકે તૃતીય એમ1) સાથે જોડવાનું કામ પૂરું કરવામાં આવ્યું.
4 સપ્ટેમ્બર - અન્ય ડી -ઓર્બિટરની પ્રક્રિયા પૂરી થઈ.
7 સપ્ટેમ્બર - લેન્ડર વિક્રમને ચંદ્રની કક્ષાની તરફ લાવવાની પ્રક્રિયા 2.1 કિલોમીટરની ઉંચાઈ સુધી સામાન્ય અને યોજનાના અનુરૂપ જોવા મળી. છેલ્લા સમયે લેન્ડરનો સંપર્ક જમીન સ્ટેશનથી તૂટ્યો.