ચંદ્રયાન-2ના વિક્રમ લેન્ડરને લઇ દેશભરમાં ચર્ચાનો દોર યથાવત છે ત્યારે તાજેતરમાં એક મહત્વના સમાચાર પ્રાપ્ત થયાં છે. સૂત્રોના જણાવ્યું હતું કે, વિક્રમ લેન્ડર સાથે સંપર્ક કરવાની આશામાં વઘારો થયો છે.
નોંધનીય છે કે, હાલ ચંદ્ર પર રાત્રિનો સમયગાળો ચાલી રહેલો હોવાથી વિક્રમ લેન્ડર સાથે સંપર્ક કરવામાં તકલીફ પડી રહી છે. પરંતુ જેવો દિવસ ઉગતા જ તેની સાથે સંપર્ક કરવાના પ્રયાસને વધુ ઝડપી બનાવવામાં આવશે
ઓર્બિટરે ચંદ્રની મોકલી હતી તસવીર
ઇસરોએ ચંદ્રયાન -2 ના ઓર્બિટર હાઇ રિઝોલ્યુશન કેમેરા સાથે લીધેલ ફોટોગ્રાફ જાહેર કર્યો છે. આ ઉચ્ચ રીઝોલ્યુશન કેમેરાએ ચંદ્રની તસવીર લીધી છે. આ તસવીરમાં ચંદ્રની સપાટી પર મોટા અને નાના ખાડાઓ જોવા મળી રહ્યા છે.
ભારતના મહત્વકાંક્ષી મૂન મિશન ચંદ્રયાન-2ના વિક્રમ લેન્ડરની સોફ્ટ લેન્ડિંગ ભલે સફળ ના રહ્યુ હોય પરંતુ ઓર્બિટરે ચંદ્ર પર સોડિયમ, કેલ્શિયમ, અલ્ય્મૂનિયમ, સિલિકૉન, ટાઇટેનિયમ અને આયરન શોધી નીકાળ્યા. ISRO એ આ મહત્વની જાણકારી આપી છે.
ઇસરોના વડાનું નિવેદન
ઇસરો ચીફ શિવાને મંગળવારે કહ્યું કે આપણે ચંદ્રની જે બાજુએ ઉતર્યા છે, હવે ત્યાં રાતનો સમય છે. આવી સ્થિતિમાં સંપર્ક કરવો મુશ્કેલ છે. જ્યારે દિવસનો સમય ફરીથી શરૂ થશે, ત્યારે અમે ફરી પ્રયાસ કરીશું.
પ્રયાસ કરવામાં મુશ્કેલી નથી
ચંદ્રયાન -2 ની શરૂઆત પહેલાં, ઇસરોએ જાણ કરી હતી કે લેન્ડર અને રોવરની મિશન લાઇફ એક ચંદ્ર દિવસ જેટલી છે, જે પૃથ્વી પર 14 દિવસની બરાબર છે. કેટલાક નિષ્ણાતો માને છે કે ઘણા દિવસો પછી પણ લેન્ડર વિક્રમ સાથે સંપર્ક સ્થાપિત કરવો તે ખૂબ મુશ્કેલ હશે. ઇસરોના એક અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે આટલા દિવસો પછી સંપર્ક કરવો ખૂબ જ મુશ્કેલ હશે, પરંતુ પ્રયાસ કરવામાં કોઈ મુશ્કેલી નથી.
ઠંડી અને ભૂકંપ મોટો પડકાર
ઇસરોના અધિકારીના જણાવ્યા અનુસાર, ચંદ્ર પર લેન્ડરને રાત્રે મુશ્કેલ પરિસ્થિતિઓનો સામનો કરવો પડશે. આ સમયે ઘણી ઠંડી રહેશે. આ ઉપરાંત ભૂકંપના આંચકા પણ ત્યાં ચિંતા વધારી રહ્યા છે. તેમણે જણાવ્યું હતું કે લેન્ડર વિક્રમે ચંદ્રની સપાટી સાથે વધુ ઝડપથી ટકરાયું છે, તે જ કારણોસર તેની અંદર પણ ઘણું નુકસાન થયું હશે. આ પરિસ્થિતિમાં વસ્તુઓ ખૂબ મુશ્કેલ છે.