આશા પર દુનિયા ટકી છે. વિક્રમ લેન્ડર ફરીવાર કામ કરશે, આ આશા સાથે જ વૈજ્ઞાનિકો હજી પણ કામ કરી રહ્યા છે. ઇસરોના વિશ્વસનીય સૂત્રોના જણાવ્યા અનુસાર, એવી આશંકા વ્યક્ત કરાઇ છે કે, ચંદ્રની ઘરતી પર જ ક્રેશ થઇ ગયું છે.
હવે ઓર્બિટરની મદદ થકી તસવીરો લેવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. સાથે જ વૈજ્ઞાનિકો વિક્રમ લેન્ડરના ફ્લાઇટ ડેટા રેકોર્ડરના ડેટા દ્વારા એ જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે કે, આખરે 2.1 કિલોમીટરની ઉંચાઇ પરથી તે કેમ રસ્તો ભુલી ગયું.
2.1 કિલોમીટરની ઉંચાઇ પરથી વિક્રમ રસ્તો ભુલી ગયું
ઇસરોના સૂત્રોના જણાવ્યા મુજબ, ચંદ્રની સપાટીથી 2.1 કિલોમીટરની ઉંચાઇ પરથી વિક્રમ પોતાનો રસ્તો ભુલી ગયું. ત્યારબાદ તે 60 મીટર પ્રતિ સેકન્ડની ગતિથી 335 મીટર સુધી આવ્યું. અંતે આ જગ્યાએથી જ તેનો સંપર્ક તૂટી ગયો.
વૈજ્ઞાનિકોએ જણાવ્યું કે, તેમને આશંકા છે કે, જે ગતિથી તે નીચે આવી રહ્યું હતું. તે જ ગતિથી તે ચંદ્રની સપાટી પર ટકારાયું હોય તેવું બની શકે. કારણ કે, લેન્ડર વચ્ચે ચંદ્રનું ચક્કર લગાવી રહ્યું હતું. ઓર્બિટર સાથે કનેક્ટ થઇ રહ્યું હતુ. માટે ઇસરોના વૈજ્ઞાનિકોને હજી પણ આશા છે કે, લેન્ડર સાથે સંપર્ક ફરીવાર થઇ શકે છે.
ઇસરોના વૈજ્ઞાનિકોને સંપર્કની હજી આશા
જો કે વિશેષજ્ઞોના જણાવ્યા અનુસાર હજી આ મિશનને અસફળ ન ગણાવી શકાય તેમ જણાવ્યું છે. લેન્ડર સાથે પુનઃ સંપર્ક સ્થાપિત થઇ શકે છે. વિશેષજ્ઞોના જણાવ્યા અનુસાર લેન્ડર નિષ્ફળ રહે તો પણ ચંદ્રયાન-2નું ઓર્બિટર એકદમ સામાન્ય છે તે ચંદ્રની સતત પરિક્રમા કરી રહ્યું છે.
પ્રધાનમંત્રી મોદીએ દેશવાસીઓ કર્યું સંબોધન
ઐતિહાસિક ચંદ્રયાન-2 મિશનમાં વિક્રમ લેન્ડર સાથેથી મોડી રાતે સંપર્ક તુટતા ISRO સહિત સમગ્ર દેશમાં હતાશા ફેલાઈ હતી. ત્યારે પ્રધાનમંત્રી મોદીએ બેંગલુરૂના ISRO સેન્ટર પરથી વહેલી સવારે 8 વાગ્યે રાષ્ટ્રજોગ સંબોધન આપ્યું હતું.
મોદીએ કહ્યું મિત્રો ચંદ્રયાન-2 મિશનમાં ભલે અડચણો આવી પણ આપણી હિંમત ઓછી નથી થઈ. આ સાથે ISROના વૈજ્ઞાનિકોની હિંમત વધારતાં કહ્યું ‘વયંમ અમૃતસ્ય પુત્રાઃ’ આપણે તો અમૃત પુત્રો છીએ આપણે અટકવાનું ન હોય.