ચંદ્રયાન-2ના લોન્ચિંગની સફળતાએ ઇસરોના વિજ્ઞાનીઓની સિધ્ધિમાં વધુ એકનો ઉમેરો કર્યો છે. જોકે સંપુણ મિશન સફળ થયું કે કેમ તે સપ્ટેમ્બરમાં જાણી શકાશે. કેમ કે ચંદ્રયાન મિશનનું લેન્ડર 7 સપ્ટેમ્બરે ચંદ્રની ધરતી પર લેન્ડ કરશે.
ઇસરોએ તેના ગગનયાન સહિતના મહત્વકાંક્ષી મિશન પૈકીના એક એવા આદિત્ય મિશન પર તડામાર તૈયારીઓ શરુ કરી દીધી છે. આ મિશન દ્વારા ભારત હવે સુર્યની નજીક પહોંચશે. 2020માં આદિત્ય એલ-1 તરીકે ઓળખાતા પ્રોબને સુર્યના એટમોસ્ફિયર અને કોરોનાના અભ્યાસ માટે મોકલાશે.
આ પ્રોબને પણ પીએસએલવી રોકેટ દ્વારા શ્રીહરિકોટાથી લોન્ચ કરાશે. કોરોના સુર્યની સપાટીથી હજારો કિલોમીટર ફેલાયેલું ઉર્જાનું લેયર છે. જેનું તાપમાન હજારો ડિગ્રી સેન્ટિગ્રેડ હોય છે. કોરોનાનું તાપમાન આટલું વધુ કેમ હોય છે તે હજુ રહસ્ય છે. અમેરિકાની સ્પેસ ઓજન્સી નાસાએ મોકલેલું પાર્કર નામનું પ્રોબ પણ સુર્યના કોરોનાનો અભ્યાસ કરશે.
ઇસરોનું આદિત્ય મિશન પણ તેની બરોબરી કરશે. આદિત્ય મિશન કોરોનાની ફોટોગ્રાફી કરવા ઉપરાંત વિવિધ સેન્સર્સ સહિતના ઉપકરણોની મદદથી જાણકારી મેળવશે. પૃથ્વીની સુર્ય ફરતેની ભ્રમણકક્ષાથી 15 લાખ કિલોમીટર અંદર રહીને આદિત્ય-એલ-1 તેનું મિશન પાર પાડશે. આદિત્યના નામમાં રહેલો એલ લેગરેન્જ પોઇન્ટ સુચવે છે. આવા અનેક પોઇન્ટ છે જેને એલ-1,એલ-2 એવા નામ અપાયા છે.
આ એવો પોઇન્ટ છે જયાં સુર્ય અને પૃથ્વીનું ગરુત્વાકર્ષણ બળ એકબીજાનો છેદ ઉડાડે છે. એટેલે કે પ્રોબ કયાંય પણ છટકી શકતો નથી અને ચોક્કસ પોઇન્ટ પર સ્થિર રહે છે. જેના કારણે તેને ઉર્જા એટલે કે ફયુઅલ પણ વધુ વાપરવાની જરુર રહેતી નથી. નાસાનું જેમ્સ વેબ્બ નામનું ટેલિસ્કોપ એલ-2 પોઇન્ટ પર ગોઠવાયેલું છે.