ભારતીય અંતરીક્ષ અનુસંધાન સંગઠન (ISRO)ના બીજા મૂન મિશન Chandrayaan-2 ની લોન્ચિંગ ટેક્નિકલ કારણોથી રોકી દેવામાં આવી છે. લોન્ચથી 56.24 મિનિટ પહેલા ચંદ્રયાન-2નું કાઉન્ટડાઉન રોકી દેવામાં આવ્યું છે. 15 જુલાઇએ 2.51 વાગ્યે ચંદ્રયાન-2ને દેશના સૌથ તાકાતવર બાહુબલી રોકેટ GSLV-MK3 થી લોન્ચ કરવાનું હતું.
ઇસરોના સૂત્રો મુજબ, જે સમયે કાઉન્ટડાઉન રોકવામાં આવ્યું, તેને જોતા લાગી રહ્યું છે કે ક્રાયોજડેનિક એન્જિન અને ચંદ્રયાન-2ને જોડતા લોન્ચ વ્હીકલમાં લોન્ચ માટે યોગ્ય દબાણ બની રહ્યું નહોતું. તેથી લોન્ચને ટાળી દેવામાં આવ્યું હતું. લોન્ચ રોક્યા બાદ ઇસરો વૈજ્ઞાનિક એ જાણવાની કોશિશ કરી રહ્યા છે કે લોન્ચ પહેલાની આ ટેક્નિકલ ખામી ક્યાંથી આવી. ઇસરોના વૈજ્ઞાનિક પૂર્ણ પ્રયાસ કરી રહ્યા છે કે ચાર દિવસની અંદર ચંદ્રયાન-2ને લોન્ચ કરી દેવામાં આવે નહીં તો ત્રણ મહીના માટે ટાળવું પડશે.
લોન્ચ વ્હીકલમાં થઇ હતી ટેક્નિકલ ખામી
ઇસરોના નજીકના સૂત્રોએ બતાવ્યું કે ખામી રોકેટ અથવા ચંદ્રયાન-2માં નથી. જે ખામી આવી છે તે જીએસએલવી-એમકે3ના ક્રાયોજેનિક એન્જિન અને ચંદ્રયાન-2ને જોડનારા લોન્ચ વ્હીકલમાં આવી હતી. પ્રાથમિક તપાસમાં લોન્ચ વ્હીકલમાં પ્રેશર લીકની ખામી જોવા મળી હતી. તેથી હવે રોકેટના તમામ ભાગને અલગ-અલગ કરીને તપાસ કરવામાં આવશે. ચંદ્રયાન-2 હાલ જે હાલતમાં છે, તેને એ સ્થિતિમાં સુરક્ષિત રાખવામાં આવશે. રોકેટને અલગ કરીને તપાસ કરવામાં ઘણો સમય લાગશે.
લોન્ચિંગ રોકાયા બાદ આ રીતે તપાસ પ્રક્રિયા હાથ ધરશે ઇસરો
1 સૌથી પહેલા રોકેટથી ઇંધણ ખાલી કરાશે
ઇસરોના વૈજ્ઞાનિક હવે સૌથી પહેલા જીએસએલવી રોકેટના તમામ ચરણોથી ઇંધણ નીકાળવાની પ્રક્રિયા શરૂ કરશે. તેને ડીફ્યૂલિંગ કહે છે. આ પ્રક્રિયા જટિલ અને ખતરનાક હોય છે. પરંતુ ઇસરો વૈજ્ઞાનિક તેને આ પહેલા પણ કરી ચૂક્યા છે. તેથી કોઇ મુશ્કેલી આવશે નહીં. તેમા બુસ્ટર્સ, પહેલો સ્ટેજ, બીજો સ્ટેજ, અને ક્રાયોજેનિકવ એન્જીન સામેલ છે. આ તમામમાંથી ઇંધણ બહાર નીકાળવામાં આવશે. તેમા સૌથી વધારે મહત્વપૂર્ણ ક્રાયોજેનિક એન્જિનથી નીકાળવામાં આવતું લિક્વિડ ઓક્સીજન અને હાઇડ્રોજન છે. કેમકે તેને માઇનસ 156 ડિગ્રી સેલ્સિયસ પર રાખવાના હોય છે.
2 રોકેટને ચંદ્રયાન-2થી અલગ કરવામાં આવશે
ઇંધણ નીકાળ્યા બાદ સૌથી પહેલા જીએસએલવી-એમકે3 રોકેટને ચંદ્રયાન-2થી અલગ કરવામાં આવશે. આ પ્રક્રિયાને રોકેટ ડીસ્ટેકિંગ કહેવામાં આવે છે. જેથી આખા મૂન મિશનની યોગ્ય તપાસ કરવામાં આવી શકે.
3 ફરી બનશે એનાલિસિસ કમિટી, જે ટેક્નિકલ ખામી શોધશે
ચંદ્રયાન-2 ની ટેક્નિકલ ખામીની તપાસ માટે ઇસરોના વિભિન્ન સેન્ટર્સના વૈજ્ઞાનિકની એક એનાલિસિસ ટીમ બનાવામાં આવશે. આ ટીમ પૂર્ણ જીએસએલવી રોકેટ અને લોન્ચ વ્હીકલની તપાસ કરશે. કમ્પ્યૂટરને જ્યારે લોન્ચની પ્રક્રિયા રોકી, એ સમયેથી ઠીક પહેલા સુધી ઓટોમેટેડ લોન્ચ શેડ્યૂલને જોવામાં આવશે. ત્યારબાદ ખામીને ફિજીકલ તપાસ કરવામાં આવશે. તેને સુધારાવામાં આવશે. બાદમાં રોકેટ, લોન્ચ વ્હીકલ અને ચંદ્રયાન-2 સંબંધિત જરૂરી ટેસ્ટ પાછા કરવામાં આવશે.
4 રોકેટ અને ચંદ્રયાન-2ની એસેંબલિંગ થશે
તમામ જરૂરી ટેસ્ટ કર્યા બાદ લોન્ચિગની હવે પછીની તારીખ જાહેરાત કરવામાં આવશે. તે બાદ ઇસરોના વૈજ્ઞાનિક જીએસએલવી-એમકે3 રોકેટ અને ચંદ્રયાન-2ની ફરીવાર એસેંબલિંગ કરશે. કોંમ્પ્યૂટરમાં ફરી લોન્ચ શેડ્યૂલ નાંખવામા આવશે. 20 થી 24 કલાકનું અથવા તેથી વધારેનું કાઉન્ટડાઉન ફરી શરૂ કરવામાં આવશે.
ઓક્ટોબરમાં થઇ શકે છે ચંદ્રયાન-2ની લોન્ચિગ
જીએસએલવી-એમકે3ને અલગ-અલગ કરીને તપાસ કરવા અને તેમા આવેલી ટેકનિકલ ખામીને સુધારવામાં ઘણો સમય લાગશે. જો વૈજ્ઞાનિક પૂર્ણ પ્રયાસ કર્યા બાદ ચાર દિવસની અંદર લોન્ચ નથી કરી શકતા તો આવનાર કેટલાક સપ્તાહ લોન્ચિંગ સંભવ નથી. આવનારા સમયે લોન્ચ વિન્ડો ઓક્ટોબરમાં આવશે. લોન્ચ વિન્ડો એ યોગ્ય સમય હોય છે જ્યારે પૃથ્વીથી ચંદ્રની દુરી ઓછી હોય છે. અને પૃથ્વીની ચારે તરફ ચક્કર લગાવનાર ઉપગ્રહોથી ટકરાવાની સંભાવના ખૂબ જ ઓછી હોય છે.
ઓક્ટોબરમાં કેમ કરવામાં આવશે મૂન મિશનની લોન્ચિંગ
લોન્ચ વિન્ડોનો નિર્ણય ઇસરોના ત્રિવેન્દ્રમ સ્થિત સ્પેસ ફિજિક્સ લેબમાં કરશે. નેક્સ્ટ લોન્ચ વિન્ડો 10 ઓક્ટોબરથી 26 ઓક્ટોબર વચ્ચે હોઇ શકે છે. કેમકે આ દરમિયાન પૃથ્વીથી ચંદ્રની દૂરી સરેરાશ 3.61 લાખ કિમી હોય છે. જો 15 જુલાઇએ ચંદ્રયાન-2ની લોન્ચિંગ સફળ રહે છે તો લગભગ 3.84 લાખ કિમીની યાત્રા કરવી પડી શકે છે. એટલ કે લગભગ 23 હજાર કિમીથી વધારે અંતર પૂર્ણ કરવું પડતું.